________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
न पुनरन्यः। तथा हि-यदा नामानादिप्रसिद्धपौद्गलिककर्मबन्धनोपाधिसंनिधिप्रधावितोपरागरंजितात्मवृत्तिर्जपापुष्पसंनिधिप्रधावितोपरागरंञ्जितात्मवृत्तिः स्फटिकमणिरिव परारोपितविकारोऽहमासं संसारी, तदापि न नाम मम कोऽप्यासीत्। तदाप्यहमेक एवोपरक्तचित्स्वभावेन स्वतन्त्रः कर्तासम्। अहमेक एवोपरक्तचित्स्वभावेन साधकतमः करणमासम्। अहमेक एवोपरक्तचित्परिणमनस्वभावेनात्मना प्राप्यः कर्मासम्। अहमेक एव चोपरक्तचित्परिणमन-स्वभावस्य निष्पाद्यं सौख्यविपर्यस्तलक्षणं दुःखाख्यं कर्मफलमासम्। इदानीं पुनरनादि
कम्म कस्वभावेन परमात्मना प्राप्यं व्याप्यमहमेक एव कर्मकारकमस्मि। फलं च शुद्धज्ञानदर्शनस्वभावपरमात्मनः साध्यं निष्पाद्यं निजशुद्धात्मरूचिपरिच्छित्तिनिश्चलानुभूतिरूपाभेदरत्नत्रयात्मकपरमसमाधिसमुत्पन्नसुखामृतरसास्वादपरिणतिरूपमहमेक एव फलं चास्मि। णिच्छिदो एवमुक्तप्रकारेण निश्चितमतिः सन् समणो सुखदुःखजीवितमरणशत्रुमित्रादि-समताभावनापरिणत: श्रमण: परममुनिः परिणमदि णेव अण्णं जदि परिणमति नैवान्यं रागादिपरिणामं यदि चेत् , अप्पणां लहदि सुद्धं
તે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છે:
“જ્યારે અનાદિસિદ્ધ પૌગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાથી ઉત્પન્ન થયેલા *ઉપરાગ વડે જેની સ્વપરિણતિ રંજિત હતી એવો હું જાસુદપુષ્પની નિકટતાથી ઉત્પન્ન થયેલા ઉપરાગ (–લાલાશ) વડે જેની સ્વપરિણતિ રંજિત (-રંગાયેલી) હોય એવા સ્ફટિકમણિની માફક-પર વડે
આરોપાયેલા વિકારવાળો હોવાથી, સંસારી હતો, ત્યારે પણ (અજ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ (સંબંધી) નહોતું. ત્યારે પણ હું એકલો જ કર્તા હતો, કારણ કે હું એકલો જ “ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો (અર્થાત્ સ્વાધીનપણે કરતો હતો ); હું એકલો જ કરણ હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ (-ઉત્કૃષ્ટ સાધન) હતો; હું એકલો જ કર્મ હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય (-પ્રાપ્ત થવા યોગ્ય) હતો; અને હું એકલો જ સુખથી વિપરીત લક્ષણવાળું, “દુઃખ” નામનું કર્મફળ હતો-કે જે (ફળ) ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવતું હતું.
૧. ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ;
ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા. ૨. રંજિત = વિકૃત; મલિન. ૩. આરોપાયેલા = (નવા અર્થાત ઔપાધિકરૂપે) કરાયેલા. [ વિકારો સ્વભાવભૂત નહોતા પણ ઉપાધિના
નિમિત્તે ઔપાધિકરૂપે (નવા) થયેલા હતા. ] ૪. કર્તા, કરણ અને કર્મના અર્થો માટે ૧૬ મી ગાથાનો ભાવાર્થ જુઓ. ૫. ઉપરક્ત = વિકૃત, મલિન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com