SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા 1 શેયતત્ત્વ-પ્રજ્ઞાપન ૧૯૭ द्रव्यमात्मनैवोत्पद्यते आत्मनैवावतिष्ठते आत्मनैव नश्यतीत्यभ्युपगम्यते। तत्तु नाभ्युपगतम्। पर्यायाणामेवोत्पादादयः, कुतः क्षणभेदः। तथा हि-यथा कुलालदण्डचक्रचीवरारोप्यमाणसंस्कारसन्निधौ य एव वर्धमानस्य जन्मक्षण: स एव मृत्पिण्डस्य नाशक्षण: स एव च कोटिद्वयाधिरूढस्य मृत्तिकात्वस्य स्थितिक्षणः, तथा अन्तरङ्गबहिरङ्गसाधनारोप्यमाणसंस्कारसन्निधौ य एवोत्तरपर्यायस्य जन्मक्षण: स एव प्राक्तनपर्यायस्य नाशक्षणः स एव च कोटिद्वयाधिरूढस्य द्रव्यत्वस्य स्थितिक्षणः। यथा च वर्धमानमृत्पिण्डमृत्तिकात्वेषु प्रत्येकवर्तीन्यप्युत्पादव्ययध्रौव्याणि त्रिस्वभावस्पर्शिन्यां मृत्तिकायां सामस्त्येनैकसमय एवावलोक्यन्ते, तथा उत्तरप्राक्तन धारात्मद्रव्यत्वावस्थारूपपर्यायेण स्थितिरित्युक्तलक्षणसंज्ञित्वोत्पादव्ययध्रौव्यैः सह। तर्हि किं बौद्धमतवद्भिन्नभिन्नसमये त्रयं भविष्यति। नैवम्। एक्कम्मि चेव समये अङ्गलिद्रव्यस्य वक्रपर्यायवत्संसारिजीवस्य मरणकाले ऋजुगतिवत् क्षीणकषायचरमसमये केवलज्ञानोत्पत्तिवदयोगिचरमसमये मोक्षवचैत्येकस्मिन्समय एव। तम्हा दव्वं खु तत्तिदयं यस्मात्पूर्वोक्तप्रकारैणैकसमये भङ्गत्रयेण परिणमति तस्मात्संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि प्रदेशानामभेदात्त्रयमपि ख स्फुटं द्रव्यं भवति। यथेदं चारित्रा (હવે ઉપરની શંકાનું સમાધાન કરવામાં આવે છે) એ પ્રમાણે ઉત્પાદાદિકનો ક્ષણભેદ હૃદયભૂમિમાં તો જ ઊતરે, “જો દ્રવ્ય પોતે જ ઊપજે છે, પોતે જ અવસ્થિત રહે છે (-ટકે છે) અને પોતે જ નાશ પામે છે” એમ સ્વીકારવામાં આવતું હોય. પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી. પર્યાયોનાં જ ઉત્પાદાદિક છે ( એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે); ત્યાં ક્ષણભેદ કયાંથી હોય ? (ન જ હોય.) તે સમજાવવામાં આવે છે: જેમ કુંભાર, દંડ, ચક્ર (ચાકડો) અને દોરી વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, જે રામપાત્રની જન્મક્ષણ હોય છે, તે જ મૃત્તિકાપિંડની નાશક્ષણ હોય છે અને તે જ બને કોટિમાં રહેલા માટીપણાની સ્થિતિક્ષણ હોય છે, તેમ અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ હોય છે, તે જ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય છે અને તે જ બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે. વળી જેમ રામપાત્રમાં, મૃત્તિકાપિંડમાં અને માટીપણામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રત્યેકપણે (એકેક છૂટાંછૂટાં) વર્તતાં હોવા છતાં ત્રિસ્વભાવસ્પર્શી માટીમાં તેઓ સમસ્તપણે (બધાંય ભેગાં) એક સમયમાં જ જોવામાં આવે છે, તેમ ઉત્તર પર્યાયમાં, પૂર્વ પર્યાયમાં ૧. કોટિ = પ્રકાર. (માટીપણું તો પિંડરૂપ પ્રકારમાં તેમ જ રામપાત્રરૂપ પ્રકારમાં બન્ને પ્રકારમાં રહેલું છે.) Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy