SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) શ્રી પ્રવચન રત્નો-૧ જેમ માટીને અને ઘડાને સભાવ સંબંધ છે, એમ આત્માને અને રાગને કર્તાકર્મપણાનો સદ્દભાવ સંબંધ નથી. આહા.. હા ! એ વાતે વાતે ફેર! આવો મારગ ! મનુષ્યપણું હાલ્યું જશે! બાપા! એની સ્થિતિ પૂરી થશે કે ખલાસ! પછી તે શું કર્યું? એ પરિણામ તારી તારી હારે રહેશે! આહા..આંહી તો પાંચ, પચીસ, પચાસ વરસ છે ધૂળમાં..! અનંતકાળ ભવિષ્યમાં છે! ઈ આ રાગના પરિણામ મારું કાર્ય છે ને શું કર્તા એ અજ્ઞાનભાવ છે! કેમકે પ્રભુ (આત્મદ્રવ્ય) શુદ્ધ છે, ત્યાં કર્તાકર્મપણું ક્યાંથી આવે (વિકારનું) ? શુદ્ધ છે તો શુદ્ધનું કાર્ય અશુદ્ધતા હોય શી રીતે? એ અપેક્ષાએ અશુદ્ધનું કાર્ય અશુદ્ધનિશ્ચનયે કહી, વ્યવહાર કહીને નિમિત્ત પુદ્ગલ છે તે પુદ્ગલ રાગ કરે છે એમ કહ્યું ! આહા. હા! “ઘટ અને કુંભારની જેમ' ઈ પુદ્ગલપરિણામને અને આત્માને, એ દયા-દાનવ્રત-ભક્તિ-સ્તુતિ આદિના પરિણામને અને આત્માને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી, આહા.. હા ! એ વ્યાપ્ય નામ કાર્ય, જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક નથી, એમ પુદ્ગલપરિણામ એ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. એ. પુદ્ગલ વ્યાપક અને રાગાદિ તેનું વ્યાપ્ય છે. સમજાણું કાંઈ..? આહા... હા! હવે આવે છે! “કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી' –કર્તાકર્મપણાની અસિદ્ધિ, તો પરમાર્થે આત્મા કરતો નથી. આહા.. હા! એ દયા-દાન ને ભક્તિને સ્તુતિના પરિણામનો પરમાર્થેસાચીદષ્ટિથી આત્મા કર્તા નથી. વિશેષ કહેવાશે.. (પ્રમાણ વચન ગુરુદેવ !) * * * Please inform us of any errors on [email protected]
SR No.008293
Book TitlePravachana Ratno 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVajubhai Ajmera Vardha
Publication Year1998
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy