________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
દશા પ્રગટ થાય છે. ગાથા પમાં આચાર્યદેવ કહે છે ને કે–અમને નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેમય પ્રચુરસ્વસંવેદનસ્વરૂપ સ્વસંવેદન પ્રગટ છે. અહાહા...! તે આ આનંદશક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ... ! અહાહા...! અંદર આનંદશક્તિપણે પૂરણ ભરેલો છે, આચાર્યને તેની વ્યક્તિ પ્રગટ દશામાં થઈ છે. આવી વાત!
આ સુખશક્તિનું વર્ણન છે. કેવી છે સુખશક્તિ? તો કહે છે-અનાકુળતા લક્ષણસ્વરૂપ છે. શું કીધું ? એક સમયની વર્તમાન દશામાં આકુળતા-દુઃખ છે તે ગૌણ છે, અંદર વસ્તુ ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ છે તે અનાકુળતાલક્ષણ છે. ઝીણી વાત છે પ્રભુ ! ‘કાંઈક હું કરું ’–એવી વૃત્તિ જે ઉઠે તે આકુળતા છે. શુભાશુભ વિકલ્પ ઉઠે તે આકુળતા છે. પણ મારે કાંઈ જ કરવું નથી, જ્ઞાન પણ કરવું નથી, થાય છે તેને શું કરવું? અહાહા...! આવી સર્વ વિકલ્પ રહિત, કાંઈપણ કરવાના બોજા રહિત નિર્ભરતા તે અનાકુળતા છે. અહાહા...! આવી અનાકુળતા લક્ષણ સુખશક્તિ છે, અને તેનું કાર્ય પણ અનાકુળ આનંદમય છે; એનો સ્વાદ ભગવાન સિદ્ધના સુખ જેવો હોય છે. સમજાણું કાંઈ... ?
૪૭ શક્તિના આ અધિકારમાં શ્રદ્ધા અને ચારિત્ર-એ બન્ને શક્તિઓનું અલગથી વર્ણન કર્યું નથી. આ સુખશક્તિમાં તે બન્ને શક્તિઓ સમાવી દીધી છે. સુખશક્તિની જેમ શ્રદ્ધાશક્તિ ત્રિકાળ છે. આ જ્ઞાનાનંદમય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે હું છું એવી પ્રતીતિ-શ્રદ્ધાન થાય તે તેનું કાર્ય છે. અહાહા...! સમ્યગ્દર્શનરૂપ થવું તે શ્રદ્ધાશક્તિનું કાર્ય છે; અને તે પ્રગટતાં સાથે તે જ સમયે નિયમથી અનાકુળ આનંદનું સંવેદન પ્રગટ થાય જ છે. આ પ્રમાણે સુખશક્તિના કાર્ય દ્વારા-અનાકુળ આનંદના સંવેદન દ્વારા શ્રદ્ધાશક્તિ અને તેનું કાર્ય પ્રગટ થયાનું સમજી શકાય છે. આ રીતે સુખશક્તિમાં આચાર્યદેવે શ્રદ્ધાશક્તિ ગર્ભિત કરી દીધી છે. (ત્યાં બન્નેનાં લક્ષણ તો ભિન્ન જ જાણવાં ).
અહાહા...! શ્રદ્ધા અને ચારિત્ર તો મૂળ ચીજ છે. ૪૭ શક્તિમાં તેનું વર્ણન નથી તેથી તે નથી એમ ન સમજવું. બન્નેને આ સુખશક્તિમાં સમાવી દીધેલ છે એમ યથાર્થ જાણવું. અહાહા...! આત્મામાં જેમ શ્રદ્ધાશક્તિ ત્રિકાળ છે તેમ ચારિત્રશક્તિ ત્રિકાળ છે. સ્વરૂપાચરણ-સ્વરૂપસ્થિરતાની ક્રમે વિશેષતા થવી તે ચારિત્રશક્તિનું કાર્ય છે, અને તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના ઉગ્ર આલંબનથી પ્રગટ થાય છે. અહા! આવી ચારિત્રની ક્રમવર્તી વીતરાગી દશા પ્રગટ થાય છે ત્યારે તેની સાથે નિયમથી અનાકુળ આનંદની પ્રચુર-પ્રચુરતર દશા અનુભવાય છે. આ પ્રમાણે અનાકુળ સુખશક્તિના કાર્ય દ્વારા ચારિત્ર ગુણની દશા સમજી શકાય છે.
અહાહા...! સ્વસ્વરૂપના આશ્રયે સ્વરૂપ૨મણતાની આત્માનુભવની દશા થતાં મહા વૈરાગ્ય અને ચારિત્રની દશા પ્રગટ થાય છે. આ દશામાં અનુપમ અનાકુળ આનંદ ભેગો હોય જ છે. અહાહા...! આત્માનુભવ થતાં મહા હિતકારી વીતરાગતા સહિત અનાકુળ આાદજનક સુખની દશા પ્રગટ થાય છે. પણ અરે! અજ્ઞાની જીવ આવી ચારિત્રદાને કષ્ટદાયક માને છે. છઢાલામાં આવે છે ને કે
‘ આતમ હિતહેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકો કષ્ટ દાન.’
પણ ભાઈ ! એક વાર સાંભળ તો ખરો, અહાહા...! અંદર ત્રિલોકીનાથ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિઓનો સાગર લહરાઈ રહ્યો છે. અહાહા...! તેની એકેક શક્તિમાં બીજી અનંત શક્તિનું રૂપ છે; એકેક શક્તિમાં અનંત શક્તિ વ્યાપક છે. અહીં! આવા અનંત શક્તિમય ભગવાન આત્માને જ્યારે પર્યાય અંતરમાં વળીને દેખે છે, શ્રદ્ધે છે, ને તેમાં રમે છે ત્યારે પ્રચુર આનંદની-મહા આનંદની દશા પ્રગટે છે. આવી આ આનંદશક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર બન્નેને સમાવી દીધેલ છે.
ભાઈ! સમ્યગ્દર્શન થાય, સમ્યક્ચારિત્ર પ્રગટે, અને સાથે આનંદ ન આવે એવી વસ્તુસ્થિતિ નથી, કેમકે જ્ઞાન-માત્ર ભાવના પરિણમનમાં સર્વ અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે; એટલે તો સર્વ ગુણાંશ તે સમતિ એમ કહ્યું છે. કોઈ કહે કે અમને સમકિત થયું છે પણ આનંદ-અનાકુળ આલ્વાદ પ્રગટયો નથી તો તેની વાત જૂઠી છે, અર્થાત્ તેને સમકિત થયું જ નથી, તે અજ્ઞાની જ છે. ઘણા જૈનાભાસીઓ એવું માને છે કેઅમને સમતિ તો છે, ને હવે વ્રત લઈએ એટલે ચારિત્ર આવી જશે, પણ તેમની એ માન્યતા તદ્દન જૂઠી છે, કેમકે અનાકુળ આનંદની દશા પ્રગટયા વિના સમકિત હોતું જ નથી; કુળપદ્ધતિથી કાંઈ સમકિત હોતું નથી.
સંપ્રદાયમાં અમારા ગુરુભાઈ કહેતા કે-આપણે જૈનકુળમાં જન્મ્યા છીએ, એટલે સમતિ તો ગણધદેવ જેવું જ થયેલું છે, હવે બસ વ્રત, તપ, દીક્ષા ગ્રહણ કરીએ એટલે ચારિત્ર થઈ જાય. અરે ભગવાન! શું વાત છે આ ? સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com