________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૭: ૨૪૫ માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે?'
જુઓ આ ધર્મીની ભાવના ! મોક્ષના ઇચ્છુક ધર્મી પુરષો નિરંતર પરમાત્મપદની પૂર્ણસ્વભાવની પ્રાસિરૂપ સિદ્ધપદની જ ભાવના ભાવે છે; એમને બીજી કોઈ ઇચ્છા હોતી નથી. તેમને બંધમોક્ષમાર્ગમાં પડતા જે અન્ય ભાવો તેનાથી પ્રયોજન નથી. વ્રતાદિ વિકલ્પો ને તેના ફળમાં પ્રાપ્ત થતાં ઇન્દ્રાદિ પદો-એનાથી ધર્મીને પ્રયોજન નથી. ધર્મીની દષ્ટિ પૂર્ણ દ્રવ્યસ્વભાવ પર હોય છે, અને પૂર્ણની પ્રાપ્તિની જ તેને ભાવના હોય છે. ધર્મીની અંતરદશા અલૌકિક હોય છે, લૌકિક પદોમાં તે રાચતા નથી. આવી વાત છે.
કળશ - ૨૭૦ જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ નયો પર જ દષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું”—એવા અર્થનું કાવ્ય કહે છે:
(વરસન્નતિર્લી ) चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेक
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।। २७०।। શ્લોકાર્થ:- [ ત્રિ-શાત્મશરૂિ-મુલાયમય: લયમ માત્મા] અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય શા માત્મા [ નય-બ-રqક્યમાનઃ] નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં [ સા ] તત્કાળ [કળશ્યતિ] નાશ પામે છે; [તસ્માન] માટે હું એમ અનુભવું છું કે- [નિરાવૃત્ત-રવન્ડમ અરવલ્ડમ] જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, [ 1] એક છે, [-શાત્તમ] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [શવનમ્] અચળ છે ( અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું[ વિદ્ માં: કદમ સ્મિ] ચૈતન્યમાત્ર તેજ હું .
ભાવાર્થ:- આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દૃષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્ય વિશેષ સ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. ૨૭૦.
* કળશ ૨૭૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ચિત્ર–માત્મશ$િ–સમુદ્રીયમય: જય માત્મા' અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા “નયે-ક્ષ –વડ્ડયન:' નયોની દૃષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં ‘સ:' તત્કાળ ‘પ્રશ્યતિ' નાશ પામે છે...
અહાહા..! અનંત શક્તિઓના સમુદાયમય ભગવાન આત્મા છે. ભગવાન આત્મા જીવત્વ, ચિતિ, વૃશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત ગુણના સમુદાયમય અખંડ એક ચૈતન્યવસ્તુ છે. સમયસારમાં ૪૭ શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે, પણ આત્મા છે અનંત ગુણના સમુદાયમય વસ્તુ.
અહાહા...! આ તો અલૌકિક અમૃતભર્યા કલશો છે ભાઈ ! જેને સંસારનું દુ:ખ મટાડી અનાકુળ આનંદમાં રહેવું છે એના માટે આ અલૌકિક વાત છે. વાદવિવાદ કરી બીજાને હરાવવા છે એના માટે આ વાત નથી. યોગસારમાં આવે છે ને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com