________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮૩ થી ૩૮૬
कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। ३८३।। कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं । तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा।।३८४ ।। जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं । तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा।।३८५।। णिचं पच्चक्खाणं कुव्वदि णिचं पडिक्कमदि जो य । णिचं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा।।३८६ ।।
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડ તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડ) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડ તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. –આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે:
શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવ આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩. શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫. પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com