________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.”
જાઓ, આમાં બહુ સરસ વાત કરી છે. પર્યાય છે તો પોતાની અવસ્થા, પણ પર્યાય અને ભેદ ઉપર લક્ષ જશે તો સરાગીને વિકલ્પ-રાગ થશે, નિર્વિકલ્પતા નહિ થાય, તેથી અભેદની દષ્ટિ કરાવવા પર્યાય અને ભેદને ગૌણ કરી તેને વ્યવહાર કહી ત્રિકાળી અભેદ વસ્તુનો આશ્રય કરાવવા તેને નિશ્ચય કહ્યો છે. આવો મારગ ! ભાઈ ! એક ન્યાય ફરે તો આખી વસ્તુ પલટી જાય. વીતરાગ થયા પછી કેવળી ભેદ અને અભેદ સઘળું જાણે છે, પણ વીતરાગ થયા બાદ ભેદને જાણતાં રાગ થાય એમ છે નહિ. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-આ એક શુદ્ધ જ્ઞાયક આત્મા યપદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. જેમ દીવો પ્રકાશવાયોગ્ય પદાર્થોને પ્રકાશવા છતાં વિક્રિયા પામતો નથી. દીવો દીવો જ છે, તેમ ભગવાન આત્મા ચૈતન્ય દીવો છે તે પરવસ્તુને જાણતાં કાંઈ વિક્રિયા પામતો નથી. જ્ઞાન જ્ઞયોને જાણે તેથી રાગદ્વેષ ઉત્પન્ન થઈ જતા નથી, પણ રાગી જીવો તેમાં ઠીક-અઠીકપણું કરે તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. હવે કહે છે
“તત: ફત:' તો પછી “ત–વસ્તુરિથતિ–વો–વચ્ચ–fષTT: અજ્ઞાનિન:” એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો ‘વિરુનું સદની હવાસીનતા મુખ્યન્તિ, રાકેષમય–ભવન્તિ' પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડ છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદવે શોચ કર્યો છે.)
ભાઈ ! તારો સ્વભાવ તો જ્ઞાન છે, છતાં તું “વોથવષ્ય' જ્ઞાનથી વિધુર-ખાલી કેમ થઈ ગયો? તારા સ્વભાવને તું કેમ ભૂલી ગયો? જાણવું-દેખવું બસ એવો સહજ ઉદાસીનતાનો ભાવ તેને છોડીને અરેરે ! તું રાગદ્વેષમય કેમ થયો? અજ્ઞાનીઓ પ્રતિ આચાર્યદવ આમ ખેદ વ્યક્ત કરે છે. આચાર્યદેવને ખેદ થયો છે તે કરુણાનો રાગ છે. પોતે મુનિ છે ને? કેવળી નથી; કિંચિત્ રાગ હજી વિદ્યમાન છે એટલે આવી કરુણા થઈ આવી છે.
સર્વજ્ઞ પરમેશ્વર પણ તારા જ્ઞાનનું જ્ઞય છે. એમને ઠીક છે એમ માનતાં રાગ થાય છે. આચાર્ય કહે છે–અરે તને આ રાગ કેમ થાય છે? જાણવારૂપ સહજ ઉદાસીનતાને છોડીને તું રાગી કેમ થાય છે? પરને જાણતાં રાગ થાય એવો કાંઈ જ્ઞાનનો સ્વભાવ નથી, અને પરજ્ઞયો તને રાગ કરાવે એવો યોનો સ્વભાવ નથી. છતાં તું પરને ઇષ્ટઅનિષ્ટ માની રાગદ્વેષમય કેમ થાય છે?
જુઓ, જ્ઞાનીને રાગ થાય છે તે પોતાની અસ્થિરતાને લઈને કમજોરીથી થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com