________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૩ અહાહા...! ભગવાન આત્મા અને અનંતા અન્ય પદાર્થો-રજકણ-રજકણ સુદ્ધાં અનંતગુણથી ભરેલું તત્ત્વ છે. એના ગુણ જે ત્રિકાળ છે એનું પરિણમન અર્થાત્ વર્તમાન અવસ્થારૂપે થવું તે જે કાળે જે થવાનું છે તે થાય જ છે; એ સ્વકાળ પોતાથી છે, પરથી નથી. નિમિત્ત બીજી ચીજ હો, પણ નિમિત્ત છે માટે આ પરિણમન છે એમ નથી. જે સ્વયં સત્ છે તેને પરની શું અપેક્ષા ? સત્ન પરની અપેક્ષા હોઈ શકે નહિ. વ્યવહાર અને પર નિમિત્ત એ તો કાર્યકાળે એક બીજી ચીજ છે બસ એટલું જ, બાકી એનાથી આમાં (ઉપાદાનમાં ) કાંઈ થાય છે એમ છે નહિ. માટે હું હોશિયાર છું, ને મેં આ કર્યું એમ પરનું કરવાનાં અભિમાન જવા દે ભાઈ !
અહા! પ્રત્યેક દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ કાયમ રહીને પર્યાય સમયે સમયે ક્રમબદ્ધ પ્રગટ થાય છે, કેમકે તે પર્યાય પોતાથી થાય છે, પરથી–નિમિત્તથી નહિ. ધર્મી પુરુષને સ્વદ્રવ્યના લક્ષપૂર્વક જે સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય થઈ છે તે પણ એના સ્વકાળે થઈ છે, અને સાથે કિંચિત્ રાગ રહી ગયો છે તે પણ એનો સ્વકાળ છે. અહો ! ઇન્દ્રો, ગણધરો ને મુનિવરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ઈચ્છા વિના જ ભગવાનની વાણી ખરી એમાં આ વાત આવી છે.
અહા! ભગવાન! તું કોણ છો? અનંતગુણનો પિંડ નિર્મળાનંદનો નાથ પ્રભુ છો ને! અહા ! ત્યાં નજર કરતાં જ પર્યાયમાં શાન્તિ–વીતરાગતા આવશે. એ વીતરાગતા સાથે કિંચિત્ શુભરાગ રહી જાય તેને વ્યવહાર કહીએ. શું કીધું? જે વીતરાગતા થઈ તે નિશ્ચય અને જે રાગ રહ્યો તે વ્યવહાર. એક સમયમાં વીતરાગતા અને રાગ બને છે. માટે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય, વા વ્યવહારથી નિશ્ચય થાય એ વાત યથાર્થ નથી. આ વાત દ્રવ્યસંગ્રહમાં લીધી છે કે-ધ્યાનમાં નિશ્ચય અને વ્યવહાર એક જ કાળે હોય છે. (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૪૭ ).
વળી કોઈ વિવાદ કરે છે કે- કર્મને લઈને વિકાર થાય, કર્મ જ વિકાર કરાવે છે. પણ ભાઈ ! કર્મ તો જડ છે, એ તો આત્માને અડતાં સુદ્ધાં નથી તો એ આત્માને વિકાર કેમ કરાવે? એને લઈને આત્મામાં શું થાય? જે અડે નહિ તે આત્મામાં શું કરે ? આત્માની પર્યાયમાં વિકાર થાય એ તો પોતાનો પોતાવડ થયેલો અપરાધ છે; કર્મ તો તેમાં બાહ્ય નિમિત્ત માત્ર છે. અરે, લોકો શાન્તિ અને ધીરજથી વિચાર કરતા નથી ને આ નવું કાઢ્યું એમ રાડો પાડે છે, પણ બાપુ! આ નવું નથી, આ તો અનાદિ પરંપરામાં ચાલી આવતી વાત છે.
આત્મા ધ્રુવદ્રવ્યપણે સદા ટતું તત્ત્વ છે તો પર્યાયપણે પલટે છે. પર્યાય અપેક્ષાએ આત્મા નિત્યપરિણામી પદાર્થ છે. આ બધું સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કીધા તેમાં સમાઈ જાય છે. વસ્તુ ત્રિકાળ, ક્ષેત્ર ત્રિકાળ, ભાવ-ગુણ ત્રિકાળ અકૃત્રિમ પોતાવડ પોતાપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com