________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અરે ! હુજુ તો લોકોને કેવળજ્ઞાનમાંય વાંધા છે; એમ કે જ્ઞય બદલે છે એને લઈને સમયે સમયે કેવળજ્ઞાન બદલે છે. પણ એમ નથી ભાઈ ! એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પોતાપણે છે ને પરશયપણે નથી. જ્ઞાનને પોતાના ઉત્પાદ-વ્યયપણે ક્ષણેક્ષણે થવું ને જ્ઞાનપણે ધ્રુવ રહેવું એવું તપણું પોતાથી જ છે, ને પરજ્ઞયથી તેને અતપણું જ છે. તેથી શય બદલાય છે માટે કેવળજ્ઞાનને બદલવું પડે છે એમ છે નહિ. તથા કેવળજ્ઞાન બદલાય છે માટે પરજ્ઞયોને બદલવું પડે છે એમય છે નહિ. જ્ઞાન પોતાના સામર્થ્યથી જ પ્રતિસમય કેવળજ્ઞાનપણે પરિણમે છે, તેને કોઈ પરશયની અપેક્ષા નથી; અને નિજ સામર્થ્યથી સ્વયં પરિણમી રહેલા પરજ્ઞયોને જ્ઞાનની પણ કોઈ અપેક્ષા નથી. આવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ છે. આ ભગવાનની વાણીમાં આવેલો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. લ્યો, આવો આ તત્-અતનો એક બોલ થયો.
હવે બીજો બોલઃ “જે (વસ્તુ) એક છે તે જ અનેક છે....'
શું કીધું આ? કે જ્ઞાનમાત્ર વસ્તુ જે એક છે તે જ અનેક છે. જે-પણે એક છે તેપણે અનેક છે એમ નહિ, એ તો એકાંત થઈ ગયું. આ તો ભગવાન આત્મા દ્રવ્યપણે એક છે અને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે- એમ વાત છે, અનેક પરવસ્તુને લઈને અનેક છે એમેય નહિ. પણ આત્મા અવિનાશી વસ્તુ છે તે ગુણ-પર્યાયને અભેદ કરીને દ્રવ્યપણે એક છે, અને તે જ અનેક ગુણ-પર્યાયના ભેદની વિવક્ષાથી અનેક છે. એમાં અનંત ગુણો, અનંત પર્યાયો છે કે નહિ? એ અપેક્ષાએ જે એક છે, તે જ અનેક છે. આનું નામ સ્યાદ્વાદ છે.
એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહિ, તથા બધા આત્માઓ ભિન્ન ભિન્ન છે એ અપેક્ષાએ અનેક છે એમેય નહિ. વસ્તુ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ કહેતાં જ તે અનંતગુણનો પિંડ દ્રવ્યપણે એક છે, ને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે એમ આવી જાય છે. અનંત શક્તિઓ અને અનંત પર્યાયો છે તે એને અનેકપણું છે. એક ને અનેક બન્ને આત્મામાં જ છે, એક જ વસ્તુમાં છે. (એને પરવસ્તુથી સંબંધ નથી).
અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઈત્યાદિથી ભિન્ન હોવાપણે જે છે તે ભગવાન આત્માના હોવાપણાના બે પ્રકાર: વસ્તુ તરીકે અસંખ્ય પ્રદેશોનો પિંડ અભેદ એક છે, અને એને જ ગુણ-પર્યાયના ભેદથી જોવામાં આવે તો તે અનેક છે. અનેક છે માટે અનેકનો આશ્રય લેવો એ પ્રશ્ન અહીં નથી. આ તો અનેકાન્તમય વસ્તુ આવી છે એમ જાણવાની વાત છે. એક છે તે જ અનેક છે, છતાં વર્તમાન પર્યાયને આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો જ છે. ભિન્ન ભિન્ન પર્યાયો અનેક છે એ તો ખરું, પણ દષ્ટિ તો ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્ય પર રહે તો જ “જે એક છે તે જ અનેક છે' -
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com