SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦ સમયસાર પરિશિષ્ટ ‘અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે- આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાન્ત આવી જતો નથી ? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી ? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉ૫યતત્ત્વ એ બન્ને કઈ રીતે ઘટે છે?” -આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છેઃ– ’ * કળશ ૨૪૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * – ગ્રંથ' અહીં ‘ચાદાવ-શુદ્ધિ-અર્થ ’ સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે ‘વસ્તુ-તત્ત્વવ્યવસ્થિતિ:' વસ્તુ તત્ત્વની વ્યવસ્થા ‘૬' અને ‘ ઉપાય-૩પેય—ભાવ:' (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપયભાવ ‘માદ્ ભૂય: અપિ' જરા ફરીને પણ ‘વિન્યતે’ વિચારવામાં આવે છે. F જુઓ, જેવી ભગવાને કેવળજ્ઞાનમાં આત્મવસ્તુ જોઈ તેની સિદ્ધિ અર્થે પૂર્વે સમયસારમાં ભરપુર કહેવાઈ ગયું છે; તો પણ ટીકાકાર આચાર્ય ભગવાન ફરીને કાંઈક વિચાર આવતાં વિશેષ કહે છે. શું? કે સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુ તત્ત્વની જે વ્યવસ્થા તે વિશેષ કહે છે. તેમાં ‘સ્યાત્' એટલે કોઈ અપેક્ષાએ અને ‘વાદ' એટલે કથન. અહાહા....! આત્મા જે અનેકાન્તમય વસ્તુ છે તેનું અપેક્ષાએ કથન કરવું તેનું નામ સ્યાદ્વાદ છે. અનેકાન્તમય વસ્તુને અપેક્ષા વડે કહેનારી શૈલિ તે સ્યાદ્વાદ છે. શિષ્યનો તર્ક છે ને? કે આખા સમયસારમાં તમે આત્માને જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા આવ્યા છો તો તેમાં એકાંત થઈ જતું નથી? તો કહે છે-ના, એકાંત થઈ જતું નથી, અનેકાન્ત સિદ્ધ થાય છે. કેવી રીતે તે સમજાવે છે: જ્ઞાનમાત્રવસ્તુ આત્મા આત્માપણે છે, ને શરી૨, મન, વાણી કે રાગાદિ પરશેયપણે નથી એમ અનેકાન્ત સિદ્ધ થાય છે. આત્મા સ્વપણે છે તે અસ્તિ અને પરશેયપણે નથી તે નાસ્તિ-એમ અસ્તિ-નાસ્તિરૂપ અનેક ધર્મ સિદ્ધ થાય છે, અને એનું જ નામ વસ્તુનું અનેકાન્તસ્વરૂપ છે. અહાહા....! જે છે તે નથી એ જ અનેકાન્ત છે અને તેનું કથન કરનાર સ્યાદ્વાદ છે. સમજાણું કાંઈ....! અહાહા! વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું એકી સાથે પ્રકાશવું તે અનેકાન્ત છે; અર્થાત્ અનંતધર્મમય વસ્તુ પોતે જ અનેકાન્તસ્વરૂપ છે. ધર્મ એટલે ત્રિકાળી આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિરૂપે ધર્મ પ્રગટ થાય એની અહીં વાત નથી. વસ્તુએ ધારી રાખેલો ભાવ એને અહીં ધર્મ કહ્યો છે. એ રીતે ગુણ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy