________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૫
जो समयपाहुडमिणं पढिदूणं अत्थतच्चदो णाएं। अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं ।। ४१५ ।।
यः समयप्राभृतमिदं पठित्वा अर्थतत्त्वतो ज्ञात्वा।
अर्थे स्थास्यति चेतयिता स भविष्यत्युत्तमं सौख्यम्।। ४१५।।। હવે ભગવાન કુંદકુંદાચાર્યદવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છે:
આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫. ગાથાર્થઃ- [: વેતયિતા] જે આત્મા (-ભવ્ય જીવ) [ફર્વ સમયણામૃતનું પવિત્વા] આ સમયપ્રાભૃતને ભણીને, [૩૫ર્થતત્ત્વત: જ્ઞાત્વા] અર્થ અને તત્ત્વથી જાણીને, [કર્થે રસ્થાસ્થતિ ] તેના અર્થમાં સ્થિત થશે, [ 1:] તે [ ઉત્તમું સૌરથમ ભવિષ્યતિ | ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.
ટીકાઃ- સમયસારભૂત ભગવાન પરમાત્માનું-કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું-પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય-પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉધમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (-આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) “પરમાનંદસ” શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા-લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.
ભાવાર્થ:- આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com