________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ૨૫૯
· તેમાં જ ( –દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપ. તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્યદ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહીં પરમાર્થે એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.'
ધર્મીને યથાસંભવ બાહ્ય વ્યવહાર હોય ખરો, પણ એનાથી કલ્યાણ થશે એમ મૂઢપણું તેને હોતું નથી. અહીં કહે છે- કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું. વ્રત-ભક્તિથી મારું કલ્યાણ થશે એમ મૂઢતા ન કરવી; બલ્કે તેની ઉપેક્ષા કરી સ્વસ્વભાવમાં જ પ્રવર્તવું.
*
*
*
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૨૪૦ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘ દર્-જ્ઞપ્તિ-વૃત્તિ-ગાત્મ: ય Ve: yh: નિયત: मोक्षपथः' દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે. ‘તંત્ર વ ય: સ્થિતિમ્ તિ તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, ‘તં અનિશમ્ ધ્યાયેત્' તેને જ નિરંતર ધ્યાવે છે, ‘તું શ્વેતતિ’ તેને જ ચેતે-અનુભવે છે, ‘7 દ્રવ્યાન્તરાળિ અસ્પૃશન્ તસ્મિન્ વ નિરન્તરમ્ વિહરતિ' અને અન્યદ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, ‘સ: નિત્ય-જીવયં સમયસ્ય સામ્ અવિાત્ અવશ્ય વિશ્વતિ' તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને ) થોડા કાળમાં જ અવશ્ય પામે છે– અનુભવે છે.
ઓહો ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અંદર અનંત અતીન્દ્રિય ગુણોનું નિધાન છે અહા! આવું જે નિજસ્વરૂપ તેને પકડી ને તેનાં પ્રતીતિ, જ્ઞાન અને રમણતા કરવાં તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિયત મોક્ષમાર્ગ છે. વ્યવહાર હોય છે ખરો, પણ તે મોક્ષમાર્ગ નથી. ભાઈ! પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ તે બંધનું જ કારણ છે, મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ એક જ છે, નથી. તેનું નિરૂપણ બે પ્રકારે છે, માર્ગ બે નથી; માર્ગ તો એક જ છે. એક યથાર્થ અને બીજું આરોપથી–એમ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, પણ મોક્ષનો માર્ગ તો એક જ છે. મોક્ષનું સાધન કહો, કારણ કહો, મોક્ષનો ઉપાય કહો, માર્ગ કહો-એ બધું એક જ છે.
આ દેહ તો ક્ષણિક નાશવંત ચીજ છે, તે જોતજોતામાં ક્ષણમાં જ છૂટી જાય; તેનો શું ભરોસો ? પણ અંદર ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ ત્રિકાળ નિત્ય ટકી રહેલું તત્ત્વ –જે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com