________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬: પ્રવચન રત્નાકર ભાગ-૧)
‘મુમુક્ષુ મોક્ષમાપ: 4: વ સેવા સેવ્ય:' તેથી મોક્ષના ઈચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે.
લ્યો, આત્માની પૂરણ પવિત્ર ને પૂર્ણ આનંદમય દશા જેને પ્રગટ કરવી હોય તે પુરુષે શુદ્ધ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ એ જ સેવવા યોગ્ય છેઃ વચ્ચે વ્રતાદિ હો ભલે, હોય છે, પણ તે સેવવાયોગ્ય નથી, વ્રતાદિ હોય તે માત્ર જાણવાયોગ્ય છે, તે જાણેલાં પ્રયોજનવાન છે, આદરવાં પ્રયોજનવાન નથી. સમજાણું કાંઈ...?
જુઓ, મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. વ્યવહાર મોક્ષમાર્ગ ને નિશ્ચય મોક્ષમાર્ગ એમ કથન બે પ્રકારે છે. ત્યાં જેને સુખી થવું હોય, પરમાનંદની પ્રાપ્તિની અભિલાષા હોય તે મુમુક્ષુએ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ સેવવાયોગ્ય છે, વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર ઉપચાર છે, તેથી વ્યવહારનો પક્ષ છોડી નિશ્ચય મોક્ષમાર્ગ એક જ આદરવાયોગ્ય છે. આવી વાત !
[ પ્રવચન નં. ૪૯૯ * દિનાંકઃ ૨૧-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com