________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૧
यत एवम्
तम्हा जहित्तु लिंगे सागारणगारए हे वा गहिदे। दसणणाणचरित्ते अप्पाणं झुंज मोक्खपहे।। ४११ ।।
तस्मात् जहित्वा लिङ्गानि सागारैरनगारकैर्वा गृहीतानि।
दर्शनज्ञानचारित्रे आत्मानं युक्ष्व मोक्षपथे।।४११ ।। જો આમ છે (અર્થાત જો દ્રલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે ) તો આમ (નીચે પ્રમાણે ) કરવું-એમ હવે ઉપદેશ કરે છે:
તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને,
ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ રે! નિજ આત્મને. ૪૧૧. ગાથાર્થ- [ તાત] માટે [ સા રે.] સાગારો વડે (-ગૃહસ્થો વડે) [ મનપIR: વા] અથવા અણગારો વડે (-મુનિઓ વડ) [ગૃહીતાનિ] ગ્રહાયેલાં [તિનિ] લિંગોને [નહિત્ની ] છોડીને, [વર્ણનજ્ઞાનવારિત્રે] દર્શનશાનચારિત્રમાં- [મોક્ષપથે] કે જે મોક્ષમાર્ગ છે તેમાં- [માત્માને ચુંક્ય ] તું આત્માને જોડ.
ટીકાઃ- કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનશાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે.
ભાવાર્થ- અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનશાનચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે ભેખમાત્રથી (વશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાનચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com