________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૫ થી૪૦૭ : ર૨૭ કરતાં કલ્યાણ થઈ જાય. બાપુ! એ તો મિથ્યાત્વનું મોટું શલ્ય છે. તેને અહીં તો એમ કહેવું છે કે જીવ પોતાના સ્વરૂપને જાણે ત્યારે તેને દેહાદિ પદાર્થોનું ને રાગનું સાચું જ્ઞાન થાય છે. અહાહા...! જે સત્તામાં જાણવાનું કાર્ય થાય છે તેને જે જાણે તેને જ પરનું યથાર્થ જ્ઞાન થાય છે, અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે જ્ઞાની પુરુષો દેહમય લિંગનેદ્રવ્યલિંગને મોક્ષનું કારણ જાણતા નથી; બાહ્ય લિંગ વડે પોતાનું કલ્યાણ થશે એમ માનતા નથી. લ્યો આવી વાત!
[પ્રવચન નં. ૪૯૬-૪૯૭ * દિનાંક ૧૮-૧૧-૭૭ થી ૧૯-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com