________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮: પ્રવચન રત્નાકર ભાગ-૧)
तस्मात्तु यो विशुद्धश्चेतयिता स नैव गृह्णाति किञ्चित्। नव विमुञ्चति किञ्चिदपि जीवाजीवयोर्द्रव्ययोः।। ४०७।।
(અનુકુમ) एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते।
ततो देहमयं ज्ञातुर्न लिङ्गं मोक्षकारणम्।। २३८।। [તરમg g] માટે [ . વિશુદ્ધ ચેતતા ] જે વિશુદ્ધ આત્મા છે [૪] તે [નીવાળીવયો: દ્રવ્યયો.] જીવ અને અજીવ દ્રવ્યોમાં (-પરદ્રવ્યોમાં) [ વિચિત ન રવ ગૃતિ ] કંઈ પણ ગ્રહતો નથી [ વિચિત્ કપિ ન થવ વિમુચતિ ] તથા કંઈ પણ છોડતો નથી.
ટીકા- જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) Jહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક ( અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈગ્નસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડ પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ-નોકમંદિરૂપ ) પરદ્રવ્ય જ્ઞાનનો અમર્તિક આત્મદ્રવ્યનો આહાર નથી. કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.
(અહીં “જ્ઞાન” કહેવાથી “આત્મા' સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે. )
ભાવાર્થ- જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થ આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમી કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણત્યાગ છે. પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.
આત્માને દેહુ જ નહિ હોવાથી, પુદગલમય દેહસ્વરૂપ લિંગ (ન્વેષ, ભેખ, બાહ્ય ચિહ્ન) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થઃ- [વં શુદ્ધસ્ય જ્ઞાનસ્ય : wવ ન વિદ્યતે] આમ શુદ્ધ જ્ઞાનને દેહુ જ નથી; [તત: જ્ઞાતુ: વેદમયં તિ# મોક્ષવારમ્ ન] તેથી જ્ઞાતાને દેહુમય લિંગ મોક્ષનું કારણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com