________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૮૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
(૩પનાતિ)
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतस्तत् । यदात्मनः संहृतसर्वशक्तेः
पूर्णस्य सन्धारणमात्मनीह ।। २३६ ।।
( અનુદુમ્ )
व्यतिरिक्तं
परद्रव्यादेवं ज्ञानमवस्थितम्।
कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शङ्क्यते।। २३७।।
પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનથનરૂપ મહિમા [નિત્ય-રવિત: તિવ્રુતિ ] નિત્ય-ઉદિત રહે (-શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે).
ભાવાર્થ:- જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શક્યું નથી. સદા ઉદયમાન રહે છે. ૨૩૫.
‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામા ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’–એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થ:- [ સંસ્કૃત-સર્વ-શહે: પૂર્ણસ્ય આત્મન: ] જેણે સર્વ શક્તિઓ સમેટી (–પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [આત્મનિ ૬] આત્મામાં [યત્ સન્ધારણમ્] ધારણ કરવું [તત્ ઉન્નોવ્યમ્ અશેષત: ઉન્મુમ્] તે જ છોડવાયોગ્ય બધું છોડયું [ તથા ] અને [ આવેયક્ તત્ અશેષત: આત્તમ્] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.
ભાવાર્થ:- પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬.
.
‘આવા જ્ઞાનને દેહ જ નથી ’–એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ
શ્લોકાર્થ:- [વં જ્ઞાનમ્ પદ્રવ્યાત્ વ્યતિરિò અવસ્થિતત્] આમ (પૂર્વોક્ત રીતે ) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; [તત્ આહારતું થમ્ ચાત્ યેન અન્ય વેઠ: શત] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય ? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મનોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭.
*
*
*
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com