________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.” –૧૧૨.
જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના થાય તેને નિર્માણનામકર્મ કહે છે. તે પ્રકૃતિના ફળને, ધર્મીપુરુષ કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ કર્મપ્રકૃતિના ઉદય તરફ મારું વલણ નથી. ચોથ, પાંચમ અને છઠ્ઠ ગુણસ્થાને ધર્મી પુષને કંઈક અસ્થિરતા છે, તે કર્મપ્રકૃતિના ફળને માત્ર દેખે ને જાણે; સાતમાં ગુણસ્થાને સ્થિરતા થતાં ત્યાં અસ્થિરતાનો ભાવ જ નથી. અહીં સાતમાની મુખ્યતાથી વાત છે.
હું અગુરુલઘુનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.’ –૧૧૩.
જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાના જેવું ભારે અને આકડાના રૂના જેવું હલકું ન હોય તેને અગુરુલઘુનામકર્મ કહે છે. તેને, ધર્માત્મા કહે છે, હું ભોગવતો નથી, હું આત્માના આનંદને જ વેઠું .
“હું ઉપઘાતનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૧૧૪.
જે કર્મના ઉદયથી પોતાનો ઘાત કરનારાં અંગ હોય તેને ઉપઘાત નામકર્મ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી.
હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૧૫.
જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળાં અંગ-ઉપાંગ હોય તેને પરવાત નામકર્મ કહે છે, તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.
“હું આતપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૧૧૬.
જે કર્મના ઉદયથી પરને આતાપરૂપ શરીર હોય, જેમકે સૂર્યનું બિંબ, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, સ્વસ્વરૂપને જ સંચેતું છું.
“હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'–૧૧૭.
જે કર્મના ઉદયથી ઉધોતરૂપ શરીર થાય તેને ઉદ્યોત નામકર્મ કહે છે. તેના ફળને ધર્માત્મા ભોગવતો નથી.
“ઉચ્છવાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૧૧૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com