________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાને અનુમોદતો નથીમનથી, વચનથીકાયાથી. પૂર્વે કોઈ અહિંસાદિ વ્રતના શુભ અને હિંસાદિ અવ્રતના અશુભ વિકલ્પ કર્યા હોય તે, વર્તમાન હોય છે અને ભવિષ્ય સંબંધી સમસ્ત કર્મને, કહે છે, હું મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી ત્યાગ કરું છું. અહા ! સકલ કર્મના સંન્યાસપૂર્વક સમ્યગ્દષ્ટિને જે સ્વસ્વરૂપમાં-અંત:તત્ત્વમાં સ્થિરતા-રમણતા થાય તેનું નામ ચારિત્ર છે, અને તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-સમસ્ત કર્મત્યાગીને હું પરમ વૈષ્ફર્મ્સને –પરમ નિષ્કર્મ દશાનેઅવલંબું છું. અહા! આત્મા વસ્તુ તો અંદર પરમ નિષ્કર્મ છે; અને તેના આશ્રયે પરિણમતાં પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. અહા ! આવી નિષ્કર્મ-વીતરાગદશાને પ્રાપ્ત થાઉં છું એમ કહે છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન પોતાની જ્ઞાનમાત્ર ચીજનું જ્ઞાન અને અનુભવ તો થયાં છે, પણ કાંઈક અસ્થિરતા હુજુ છે, તે અસ્થિરતાનો, કહે છે, ત્યાગ કરીને-સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ પરમ નિષ્કર્મ અવસ્થાને અવલંબું છું. લ્યો, આ ચારિત્ર છે; ધર્માત્મા પુરુષો આવી નિષ્કર્મ દશાને પ્રાપ્ત થાય એને ચારિત્ર કહે છે ભાઈ !
હવે લોકોને દર્શન શું? જ્ઞાન શું? ચારિત્ર શું? –કાંઈ ખબર ન મળે એટલે દેવગુરુ-શાસ્ત્રને માને તે સમકિત, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને બહારમાં મહાવ્રત પાળે તે ચારિત્ર –એમ માને પણ ભાઈ ! એ માન્યતા યથાર્થ નથી, સત્યાર્થ નથી. અહીં તો કહે છે-ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ સદાય નિષ્કર્મ શક્તિના સ્વભાવરૂપ છે. તેની સન્મુખ થઈ પરિણમતાં જે સ્વસવેદન જ્ઞાન થયું તે જ્ઞાન, “હું આ જ છું' એવી જ પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન અને તેનો ઉગ્ર આશ્રય કરતાં જે વિશેષ નિષ્કર્મ-વીતરાગદશા થઈ તે ચારિત્ર. અહા ! દયા, દાન, વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે. સમજાણું કાંઈ....? ધર્માત્મા કહે છે-સમસ્ત કર્મ ત્યાગીને હું પરમ નિષ્કર્મ એવી વીતરાગદશાને અવલંબું છું. આવો મારગ જગતથી સાવ જુદો છે ભાઈ !
આ પ્રમાણે સર્વકર્મનો ત્યાગ કરવાની જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞા ! આમ બહારથી પ્રતિજ્ઞા કરે એમ નહિ, આ તો ત્રિકાળી એક જ્ઞાયકભાવના ઉગ્ર આલંબન દ્વારા નિષ્કર્મ દશા-વીતરાગ દશાને પ્રાપ્ત થાય અને પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ...?
હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છે:પ્રતિક્રમણ કરનાર કહે છે કે -
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com