SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates સમયસાર ગાથા ૩૧૪-૩૧૫ ] [૫૫ બહારના ક્રિયાકાંડમાં ધર્મ માનીને પ્રવર્તે પણ એ તો જીંદગી વેડફી દેવા સમાન છે. હવે આ વાણિયા આખો દિ' વેપાર-ધંધામાં ગી ગયા હોય તેમને આવું સમજવાની ફુરસદ ક્યાંથી મળે? એને તો બહારમાં પાંચ-પચાસ લાખ મળી જાય એટલે માને કે ફાવી ગયા; ધૂળમાંય ફાવી ગયા નથી સાંભળને, તને ખબર નથી ભાઈ! પણ પૂર્વનાં પુણ્ય બળી જાય છે ત્યારે લક્ષ્મી આદિ બહારની ધૂળ મળે છે. તે પણ તારી પાસે (તારામાં ) ક્યાં આવે છે? તારી પાસે તો મમતા આવે છે. આ જડ મારાં છે એવી મમતા તને મળે છે. બાકી ચૈતન્યઘન પ્રભુ આત્મામાં રાગનો ણ સમાય નહિ તો લક્ષ્મી આદિ ધૂળ તારી ક્યાંથી થઈ જાય? લક્ષ્મી, સ્ત્રી, પુત્ર-પરિવાર ઇત્યાદિ મારા છે એમ માને એ તો નરી મૂઢતા છે. આ પ્રમાણે જ્યાં સુધી પ૨વસ્તુને પોતારૂપ માને ત્યાં સુધી સ્વપરના એકત્વદર્શનથી જીવ મિથ્યાદષ્ટિ છે. સમજાણું કાંઈ....? વળી તે જીવ સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે. શું કીધું? રાગ સાથે એકમેક થઈ પ્રવર્તે તે સ્વપરની એકત્વપરિણતિ છે અને તે વડે જીવ અસંયત છે. એટલે શું? કે તે વ્રતી નથી, સંયમી નથી અને સમકિતી પણ નથી. વિના સમ્યગ્દર્શન જ્યાં સુધી એકલી રાગમય પરિણતિ છે ત્યાં સુધી જીવ અસંયત છે. આ પ્રમાણે ત્રણ બોલ આવ્યાઃ ૧. સ્વપરનું જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાની છે. ૨. સ્વપરના એકત્વશ્રદ્ધાનથી જીવ મિથ્યાદષ્ટિ છે. ૩. સ્વપરિણતિને છોડી રાગ અને પુણ્યની પરિણતિરૂપે પરિણમે તે અસંયત છે. ઓહો ! ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાનસ્વભાવમય છે. તેના આશ્રયે પ્રવર્તે તે જ્ઞાનમય પરિણતિ છે. એનાથી ભિન્ન ‘રાગ તે હું છું’ –એમ પ્રવર્તે તે રાગમયપરિણતિ છે. રાગમય પરિણતિ છે તે સ્વપરની એકત્વપરિણતિ છે. ભલા જાણી દયા, દાન, વ્રતાદિ શુભરાગના આચરણરૂપ પ્રવર્તે તે રાગમય પરિણિત છે. તેને સ્વપરની એકત્વપરિણતિરૂપ કહે છે. જ્યાં સુધી સ્વપરની એકત્વપરિણતિરૂપ જીવ પરિણમે છે ત્યાં સુધી તે અસંયત છે. આવી વાત છે. પ્રવચનસારની ગાથા ૨૩૬ માં કહ્યું છે કે-“ જે જીવોને સ્વપ૨નું ભેદજ્ઞાન નથી તેમને ભલે કદાચિત્ પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંયોગ ન દેખાતો હોય, છ જીવનિકાયની દ્રવ્યહિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તોપણ કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષાનો નિરોધ નથી, હિંસાનો જરાય અભાવ નથી અને એ રીતે પરભાવથી બીલકુલ નિવૃત્તિ નથી.” અર્થાત્ સ્વપરની એકત્વપરિણતિથી અસંયત જ છે. પોતાને તો એક જ્ઞાનસ્વભાવ છે. તેને છોડીને રાગ સાથે એકત્વ કરીને પ્રવર્તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy