SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૧૪-૩૧૫ जा एस पयडीअटुं चेदा व विमुंचए। अयाणओ हवे ताव मिच्छादिट्ठी असंजओ।। ३१४ ।। जदा विमुंचए चेदा कम्मफलमणंतयं। तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी।। ३१५ ।। यावदेष प्रकृत्यर्थ चेतयिता नैव विमुञ्चति। अज्ञायको भवेत्तावन्मिथ्यादृष्टिरसंयतः।। ३१४।। यदा विमुञ्चति चेतयिता कर्मफलमनन्तकम्। तदा विमुक्तो भवति ज्ञायको दर्शको मुनिः।। ३१५ ।। (“ જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાષ્ટિ, અસંયત છે” એમ હવે કહે છે:-). ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે, અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪. આ આતમા જ્યારે કરમનું ફળ અનંતે પરિતજે, જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તે કર્મવિમુક્ત છે. ૩૧૫. ગાથાર્થઃ- [વાવર્] જ્યાં સુધી [: વેતયિતા ] આ આત્મા [ પ્રત્યર્થ ] પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું [ન સ્વ વિભુતિ] છોડતો નથી, [તાવત] ત્યાં સુધી તે [ અજ્ઞાય: ] અજ્ઞાયક છે, [ મિથ્યાદfe:] મિથ્યાદષ્ટિ છે, [ સંયત: ભવેત્ ] અસંયત છે. [ ] જ્યારે [ વેયિતા] આત્મા [નત્તમ્ ર્મનન્] અનંત કર્મફળને [ વિમુચતિ] છોડ છે, [ તવા] ત્યારે તે [જ્ઞાય:] જ્ઞાયક છે, [વર્ણવ:] દર્શક છે, [ મુનિ:] મુનિ છે, [ વિમુp: ભવતિ ] વિમુક્ત (અર્થાત બંધથી રહિત) છે. ટીકા - જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy