SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૨૧ ઇન્દ્રિય-જ્ઞાનની ખંડખંડ પર્યાય-તે પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં નથી. ત્રિકાળી વસ્તુ તો અખંડ, અભેદ, એક જ્ઞાયકભાવરૂપ છે. તે જ્ઞાયક વસ્તુમાં રાગદ્વેષ નથી, સંસાર નથી, ઉદયભાવ નથી. તો પછી આ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે કેમ? તો કહે છે-પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી એવા અજ્ઞાનને કારણે જીવને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા....! હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? અને મારું કર્તવ્ય શું? ઇત્યાદિનું ભાન નહિ હોવાથી અજ્ઞાનવશ એને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહીં મિથ્યાત્વ સંબંધીના જે રાગદ્વેષ છે તેને જ રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. સમકિત થયા પછી રાગાદિ થાય છે તેની અહીં ગણત્રી નથી. અહાહા...ભગવાને જગતમાં છ દ્રવ્ય જોયાં છે; તેમાં આત્મા ચૈતન્યની દષ્ટિના અભાવરૂપ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે એમ જોયું છે. સમજાય છે કાંઈ...? હવે કહે છે વસ્તુત્વમાં મૂકેલી-એકાગ્ર કરેલી દષ્ટિ વડ જતાં અર્થાત્ દ્રવ્યદષ્ટિથી જોતાં તે રાગદ્વેષ વિશ્વિત ' કાંઈ જ નથી. જોયું? પર્યાય જ પોતાનું સ્વરૂપ છે એમ દેખનારા પર્યાયદષ્ટિ જીવોને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, પરંતુ વસ્તુ પોતે ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર કરેલી અંતરદષ્ટિવડ જોતાં, કહે છે, રાગદ્વેષ કાંઈ જ નથી. અહાહા..! આત્મા શુદ્ધ એક ચૈતન્યવસ્તુ છે તેને અંતરની એકાગ્રષ્ટિથી દેખતાં ધર્મવીતરાગતા પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. તેને રાગદ્વેષ કાંઈ જ નથી. અહા ! “સિદ્ધ સમાન સદા પદ મેરો' –એવી ચીજ પોતે આત્મા છે, પણ અરે! એને એની ખબર નથી! શું થાય? પોતે જિનસ્વરૂપ અંદર ભગવાન છે એના ભાન વિના અજ્ઞાનથી તેને રાગદ્વેષ નિરંતર ઉપજ્યા જ કરે છે. જો પોતાના પૂરણ જ્ઞાનાનંદમય ભગવાન સ્વરૂપની દષ્ટિ કરે તો રાગદ્વેષ કાંઈ જ નથી, કેમકે રાગદ્વેષ કાંઈ દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી; દ્રવ્યદૃષ્ટિમાં રાગદ્વેષ દેખાતા નથી. માટે આચાર્યદવ પ્રેરણા કરી કહે છે કે “તત: સચદૃષ્ટિ તત્ત્વદDયા તૌ ૮ ક્ષયતુ' માટે સમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વદષ્ટિ વડે તેમને (રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, ‘રેન પૂર્ણ-સર્વિ: સદનું જ્ઞાન ળ્યોતિ: વૃતિ' કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે. અહા! અનાદિ અજ્ઞાન વડે એણે ચૈતન્યનું જીવન હણી નાખ્યું છે. તેને આચાર્યદેવ કહે છે–હે ભાઈ ! તારી ચીજ અંદર સર્વજ્ઞસ્વભાવથી પૂરણ ભરી પડી છે. તેમાં જ દષ્ટિ સ્થાપિત કરી તત્ત્વદષ્ટિ વડ રાગદ્વેષનો ક્ષય કરો. સ્વભાવ ઉપર દષ્ટિ દેતાં રાગદ્વેષ ઉપજતા નથી; ઉપજતા નથી માટે તેનો ક્ષય કરો એમ કહ્યું છે. સમજાણું કાંઈ....? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy