________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬૫ ]
[ ૩૭૧ મીઠાશ મિટાવી દીધી છે. અરે ભગવાન! અહીં ત્રિલોકીનાથ ભગવાન કેવળીની વાણીમાં શું કીધું છે તે જરા સાંભળ!
અહાહા..! કહે છે-જ્ઞાનસ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા વ્યવહારરત્નત્રયના અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગરૂપે થતો નથી. આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ ચેતનાગુણથી ભરેલા છે. તેની જ્ઞાનની પર્યાય જ્ઞાતાદાપણે પરિણમે ત્યાં તે પરિણમન રાગને પોતારૂપ કરતું નથી, તેમ તે જ્ઞાનનું પરિણમન રાગરૂપે થતું નથી.
રાગને અહીં પુદ્ગલસ્વભાવ કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી, રાગની ચૈતન્યની જાતિ નથી; વળી તે પુદ્ગલના સંગમાં પ્રગટ થાય છે. માટે રાગને અજીવ પુગલસ્વભાવ કહ્યો છે.
ત્યારે કેટલાકને વાંધા છે; એમ કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય છે.
હા, પણ કોને? જેને અંતરંગમાં નિશ્ચય સાધન પ્રગટ થયું છે તેને જે રાગાદિ વ્યવહાર છે તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે. ધર્મી પુરુષના બાહ્ય વ્યવહારને સાધન કહીએ તે ઉપચારમાત્રથી છે, વાસ્તવિક નહિ. ભાઈ ! વસ્તુસ્થિતિ શું છે તે બરાબર સમજવું જોઈએ. (અજ્ઞાનીની બાહ્ય ક્રિયામાં તો સાધનનો ઉપચાર પણ સંભવિત નથી) .
ભાઈ ! આ તારા હિતની વાત છે કે જ્ઞાન સાગરૂપે પરિણમે નહિ અને રાગને પોતારૂપે-જ્ઞાનરૂપે પરિણમાવે નહિ.
ભાઈ ! આ રૂપાળું શરીર, પૈસા, આબરૂ, મકાન-બંગલા ઇત્યાદિ બધા બહારના ઠાઠ છે. તું એમાં ગુંથાઈ-ગંચાઈ રહ્યો છો પણ એ તો મસાણના હાડકાના ફોસ્ફરસની ચમક જેવા છે, દેખાય ને વિલય પામી જાય. અહા ! એ બધી ચીજ તારામાં ક્યાં છે પ્રભુ? ત્યાંથી ખસી જા, અને અંતર્દષ્ટિ કર. ઓહો ! અતીન્દ્રિય આનંદરૂપ અમૃતનો સાગર પ્રભુ અંદર શાશ્વત ડોલી રહ્યો છે. તેના સ્વરૂપના લક્ષે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની પરિણતિ પ્રગટે છે. અહા! તે જ્ઞાનની પરિણતિ, અહીં કહે છે, રાગને પોતાપણે કરતી નથી, અને તે પરિણતિ રાગરૂપ થતી નથી. અહો! આચાર્યદવે મહા અલૌકિક વાત કરી છે.
ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવથી ભરેલો પ્રભુ છે. તે જ્ઞાનરૂપે થાય તે તો વસ્તુની સ્થિતિ છે, પણ તે રાગરૂપે થાય એ વસ્તુની સ્થિતિ નથી. તો શું છે? તેના જ્ઞાનના પરિણમનના કાળે જે રાગાદિ પરદ્રવ્ય છે તે જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત છે. શું કિીધું? પરદ્રવ્યને જાણવાના કાળે જ્ઞાનની પરિણતિમાં પરદ્રવ્ય-શરીરાદિ, રાગાદિ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com