________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૩૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
છે? (આ ) ચેતિયતાથી જુદો અન્ય કોઈ ચેતિયતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે, અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી દર્શક કોઈનો નથી, દર્શક દર્શક જ છે-એ નિશ્ચય છે.
,
(આ રીતે અહીં એમ બતાવ્યું કે: ‘આત્મા ૫૨દ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે' –એ વ્યવહારકથન છે; ‘આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે' –એમ કહેવામાં પર સ્વસ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘દર્શક દર્શક જ છે, –એ નિશ્ચય છે.)
વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિષે દષ્ટાંત-દાષ્કૃતથી કહ્યું) એવી જ રીતે અપોહક (ત્યાજક, ત્યાગ કરનાર) વિષે કહેવામાં આવે છેઃ- આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, ‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી ?' –એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘ જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; ' –આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય ( અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએઃ ) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કોઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. જેમ આ દષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે ) દાૌંત છે:- આ જગતમાં જે ચેતિયતા છે તે, જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, ૫૨ના અપોહનસ્વરૂપ (ત્યાગસ્વરૂપ) સ્વભાવ છે એવું દ્રવ્ય છે. પુદ્દગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતિયતાનું અપોહ્ય (ત્યાજ્ય, ત્યાગવાયોગ્ય પદાર્થ) છે. હવે, · અપોહક ( ત્યાજક) ચૈતયિતા, અપોહ્ય (ત્યાજ્ય ) જે પુદ્દગલાદિ પ૨દ્રવ્ય તેનો છે કે નથી ?’ –એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ચેતિયતા પુદ્દગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; ' –આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચૈતયિતા જો પુદ્દગલાદિનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com