SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ] [ ૩૩૯ (જ્ઞાન) શયો જેમ છે તેમ યથાસ્થિત જાણે, છતાં જ્ઞાન જોયોને લઈને થયું નથી, પણ જ્ઞાન સ્વયં પોતાથી જ થયું છે. સમજાય છે કાંઈ....? જુઓ, પ્રદ્યુમ્નકુમારનો જન્મ થતાં એક વિદ્યાધર તેમને ઉપાડી ગયો. નારદજીએ ભગવાનને પ્રશ્ન પૂછયો કે પ્રધુમ્નકુમાર ક્યારે આવશે? ત્યારે ભગવાનની 3ૐધ્વનિમાં આવ્યું કે-સોળ વર્ષે ઘરે આવશે. લ્યો, નારદજીને આ જાણવું-જ્ઞાન થયું તે કાંઈ વાણીને લઈને થયું નથી, તથા પરજ્ઞયને કારણે થયું છે એમ પણ નથી; કેમકે પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ ( -જ્ઞાન) કરતાં નથી. નગરમાં હાથી નીકળે ત્યારે હાથીનું જ્ઞાન થાય તે હાથીથી થયું નથી. જ્ઞાનમાં સન્મુખ રહેલો ઘડો જણાય ત્યાં ઘડા સંબંધી જ્ઞાન ઘડાના કારણે થયું નથી. અહા! ભગવાન જિનેન્દ્રદેવ ફરમાવે છે કે જ્ઞાનપર્યાયો કર્તા જીવ છે, જ્ઞયોથી જ્ઞાન થતું નથી. આમ પદાર્થોમાં (સ્વ-પર પદાર્થોમાં ) ભિન્નતા છે, છતાં ત્યાં એકપણું માનવું તે ભારે ભ્રમણા છે અને તે જ સંસાર-પરિભ્રમણનું કારણ છે. આ પ્રમાણે પરજ્ઞયો જ્ઞાયકનું કાંઈ કરતા નથી તથા જ્ઞાયક પરયોનું કાંઈ કરતો નથી એમ યથાર્થ જાણવું. આવું યથાર્થ જાણનારનો મોહ સહેજે ક્ષય પામી જાય છે અને તેને સમકિતની પ્રાપ્તિ થાય છે. આવી વાત છે. હવે, એ જ અર્થને દઢ કરતું ત્રીજું કાવ્ય કહે છે: * કળશ ૨૧૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વસ્તુ' એક વસ્તુ “સ્વયમ્ પરિણામિન: કન્ય–વસ્તુન:' સ્વયં પરિણમતી અન્ય વસ્તુને “ગ્વિન પિ કુરુતે' કાંઈ પણ કરી શકે છે- “યત્ તુ' એમ જે માનવામાં આવે છે, ‘તત્ વ્યાવહારિક—શા પર્વ મતમ્' તે વ્યવહાર-દષ્ટિથી જ માનવામાં આવે છે. અહાહા.......! પ્રત્યેક વસ્તુ સ્વયં-પોતે પોતાથી જ નિરંતર પરિણમી રહી છે. છતાં એક વસ્તુ સ્વયં પરિણમતી બીજી વસ્તુને કાંઈ પણ કરે છે એમ જે કહેવામાં આવે છે તે વ્યવહારથી–ઉપચારથી જ કહેવામાં આવે છે. આત્મા શરીર-મન-વાણીનું, દુકાન-ધંધાનું ઇત્યાદિ પરદ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી. તથાપિ પરનું કાંઈ પણ કામ આત્મા કરે છે એમ કહીએ તે, કહે છે, અસત્યાર્થ દષ્ટિથી ઉપચારમાત્ર સમજવું. ‘નિશ્ચયીત' નિશ્ચયથી રુદ અન્ય જિમ્ પિ ન બસ્તિ' આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈપણ નથી. લ્યો, નિશ્ચયથી અર્થાત્ સત્યાર્થપણે એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી. ભાઈ ! આ શરીર-મન-વાણી-ઈન્દ્રિય, પૈસા, ધન, મકાન, આબરૂ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy