________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ એમ નથી અને અગ્નિ નથી માટે પાણી શીતળ છે એમેય નથી. પાણીની શીત અને ઉષ્ણ અવસ્થા એ તો પાણીની (પાણીના પરમાણુઓની) તે તે સમયની યોગ્યતા છે, જન્મક્ષણ છે. આવી ઝીણી વાત છે.
ભાઈ ! તત્ત્વ જે રીતે છે તે રીતે ન માને તો દષ્ટિ વિપરીત-મિથ્યા થશે. ઉપાદાનનિમિત્ત સંબંધી બનારસીદાસ કહે છે ને કે
ઉપાદાન બળ જહાં તહાં, નહિ નિમિત્તકો દાવ;
એક ચક્રસૌ રથ ચલે, રવિકો યહી સ્વભાવ.' બાપુ! જડ અને ચેતનની જે જે અવસ્થાઓ થાય છે તે નિજ-નિજ ઉપાદાનાનાયોગ્યતાના બળથી જ થાય છે, એમાં નિમિત્તનો કોઈ દાવ નથી, નિમિત્તનો એમાં કોઈ પ્રભાવ નથી. આવી જ વસ્તુસ્થિતિ છે.
શાસ્ત્રમાં આવે છે કે એક પરમાણુમાં બે ગુણ ચિકાશ હોય અને તે બીજા ચાર અંશ ચિકાશવાળા પરમાણુ સાથે જોડાય તો તે બે અંશવાળો પરમાણુ ચાર અંશ ચિકાશરૂપે પરિણમી જાય છે. આવો જ સહજ નિમિત્ત-નૈમિત્તિકભાવ બને છે. પણ ત્યાં ઓલો ચારઅંશવાળો પરમાણુ આ બે અંશવાળાને પરિણાવી દે છે એમ નથી, કેમકે તે આમાં પ્રવેશતો નથી, બહાર જ લોટે છે, કારણ કે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. આ વસ્તુની સ્થિતિ છે. તેને નહિ જાણીને અજ્ઞાનીઓ ભ્રમપૂર્વક નિમિત્ત આવ્યું તો થયું ને ન આવ્યું માટે ન થયું” –એમ એક અવસ્થાકાળે બીજી અવસ્થાની કલ્પના કરીને પોતાના વિપરીત-મિથ્યા અભિપ્રાયને દઢ કર્યા કરે છે, પણ બાપુ! એનાં ફળ બહુ આકરાં આવશે ભાઈ !
આચાર્યદવ બહુ કરુણાથી કહે છે કે- ‘ફૂદ' આમ હોવા છતાં, “મોદિત:' મોહિત જીવ, ‘રવાવ-વેતન—માત્ર:' પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, ‘વિરુ વિનશ્યતે' શા માટે કલેશ પામે છે?
અહાહા...! શું કહે છે? કે અન્ય વસ્તુ અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી કેમકે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. અહાહા....! આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, આચાર્ય કહે છે, મોહિત જીવ પોતાના સ્વભાવથી શ્રુત થઈને આકુળ થતો થકો શા માટે કલેશ પામે છે? એમ કે- કર્મથી થાય, નિમિત્તથી થાય –એમ ભ્રમ સેવીને નિમિત્તાધીનકર્માધીન પરિણમતો થકી ચતુર્ગતિરૂપ સંસારમાં કેમ પરિભ્રમે છે? આચાર્યદેવના આ ખેદ અને કણાના ઉદ્દગાર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com