________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ].
[ ૩૧૩ (રથોદ્ધતા) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम् । व्यावहारिकदृशैव
तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात् ।। २१४ ।। વસ્તુ અન્ય વસ્તુની નથી, [ તે વસ્તુ વસ્તુ તત્ વસ્તુ] તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે- [વયમ્ નિશ્ચય:] એ નિશ્ચય છે. [વ: પર:] આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ [અવરસ્ય વહિ: સુન પિ દિ] અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં [ વિ૬ રોતિ] તેને શું કરી શકે ?
ભાવાર્થ- વસ્તુનો સ્વભાવ તો એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણાવી શક્તી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું. ચેતન-વસ્તુ સાથે એકત્રાવગાહરૂપે પુદ્ગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ તો પછી પુદ્ગલે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું.
આ ઉપરથી એમ સમજવું કે વ્યવહાર પરદ્રવ્યોને અને આત્માને શયજ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી. ૨૧૩.
હવે, એ જ અર્થને દઢ કરતું ત્રીજાં કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ વસ્તુ ] એક વસ્તુ [ સ્વયમ્ પરિણાગિન: અન્ય-વસ્તુનઃ ] સ્વયં પરિણમતી અન્ય વસ્તુને [ સૈિન સપિ તે] કાંઈ પણ કરી શકે છે– [યત્ તુ] એમ જે માનવામાં આવે છે, [તત વ્યાવહારિ—દશા પૂર્વ મત{] તે વ્યવહારદષ્ટિથી જ માનવામાં આવે છે. [નિશ્ચયાત્ ] નિશ્ચયથી [ફર અન્યત્ વિમ્ પે ન મસ્તિ] આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્ એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી).
ભાવાર્થ:- એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે અન્ય દ્રવ્ય આ કર્યું , તે વ્યવહારનયની દૃષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે, તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શક્તી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com