________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
થન રત્નાકર ભાગ-૯ કર્તાપણું માને છે તે, લૌકિકજન હો કે મુનિજન હો, મિથ્યાષ્ટિ જ છે. જ્ઞાની પણ જો કોઈ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને “મારું” માને તો મિથ્યાદષ્ટિ જ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૦૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘યત:' કારણકે “રૂદ' આ લોકમાં ‘વસ્તુન: ન્યતન સાર્ધ સત્ત: પિ સવુN: gવ નિષિદ્ધ:' એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળો સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, ‘તત્' તેથી ‘વસ્તુમે' જ્યાં વસ્તુભેદ છે અર્થાત ભિન્ન વસ્તુઓ છે ત્યાં ‘ર્તુર્મઘટના બસ્તિ ન' કર્તાકર્મઘટના હોતી નથી
જુઓ, આ લોકમાં અનંત જીવ, અનંતાઅનંત પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એકેક અને અસંખ્યાત કાલાણુઓ-એમ છ દ્રવ્યો છે. અહીં કહે છે-તે પ્રત્યેક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે. એક વસ્તુ છે તે અન્યવહુના અભાવસ્વભાવ જ છે. વાસ્તવમાં ભાઈ ! પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુના અભાવથી જ સ્વતંત્ર ટકી રહેલી છે.
આ મારે આના વિના ન ચાલે એમ લોકો કહે છે ને? પૈસા વિના તો ચાલે જ નહિ એમ કહે છે ને? અહીં કહે છે–ભાઈ ! તારે એના વિના જ અનંતકાળથી ચાલે છે; એક વસ્તુને બીજી અનંત વસ્તુઓના વિના જ ચાલે છે. જો એમ ન હોય તો અનંત વસ્તુઓ અનંતપણે રહે જ નહિ, બધી મળીને એક થઈ જાય. જો તારે પૈસા વિના ન ચાલે તો તું જડ પૈસામય થઈ જાય; પણ એમ છે નહિ.
તેથી, કહે છે, જ્યાં ભિન્ન વસ્તુઓ છે ત્યાં કર્તાકર્મઘટના હોતી નથી. શું કીધું એ? કે આત્મા કર્તા અને પરવસ્તુ એનું કાર્ય-એમ ભિન્ન વસ્તુઓમાં કર્તા-કર્મઘટના હોતી નથી. આ દેવ-ગુરુ આદિ કર્તા અને તારી (નિર્મળ ) પર્યાય એનું કાર્ય એમ કર્તાકર્મઘટના હોતી નથી. ભાઈ ! આ તો જૈન પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવેલો સિદ્ધાંત છે.
જગતમાં અનંતા દ્રવ્યો છે. તેમાં કોઈ દ્રવ્ય કોઈ સમયે કાર્ય વિનાનું ખાલી હોતું જ નથી. કાર્ય કહો કે પર્યાય કહો-એક જ વાત છે. તેથી એના કાર્યને કોઈ બીજો કરે એમ ત્રણકાળમાં હોવું અસંભવ છે, આ ન્યાય છે, ન્યાય સમજાય છે કે નહિ?
ભગવાન તારી ચીજને બીજી ચીજ સ્પર્શતી નથી. એ તો ત્રીજી ગાથામાં આવી ગયું કે- “પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com