________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ નિર્મળાનંદનો નાથ પ્રભુ તું પરમાત્મદ્રવ્ય છો, તેની એકવાર ધૂન લગાવ; તને સમ્યગ્દર્શન થશે, સુખી થવાનો માર્ગ પ્રગટ થશે. ભાઈ ! આ સર્વજ્ઞપરમાત્માએ કહેલી વાત છે, આ વાત બીજે ક્યાંય નથી.
કોઈ જગતકર્તા ઈશ્વરને માને કે સર્વવ્યાપી એક ઈશ્વરને માને પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. સર્વજ્ઞ વીતરાગદેવ સિવાય આત્મા કેવો છે તે બીજાએ જોયો નથી, જાણ્યો નથી. ભલે અન્યમતવાળા આત્માની વાતો કરે, પણ એ તો બધી કલ્પિત વાતો છે. સર્વશ પરમેશ્વરે જે આત્મા જોયો અને દિવ્યધ્વનિમાં કહ્યો તે જ યથાર્થ છે. અહા ! આવા અનંતગુણમંડિત અખંડ એક પરમજિનસ્વરૂપ આત્માનું જેને સ્વાનુભવમાં ભાન થયું તેની સ્વાનુભવની દશા એકદેશ પ્રગટરૂપ છે. ભાઈ ! ધર્માત્માને નિજ પરમાત્મદ્રવ્યના લક્ષે જે સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રની દશા પ્રગટ થઈ તે દશા એકદેશ વ્યક્તિરૂપ છે. ધર્મી પુરુષ તે દશાનું ધ્યાન કરતા નથી, પણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય પરમાત્મદ્રવ્ય હું છું એમ તે ધ્યાવે છે. સમજાય છે કાંઈ....?
અહા! ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે અનંતશક્તિસ્વરૂપ આત્માનો અનુભવ થતાં અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે; સમકિતપણે શ્રદ્ધાનો અંશ પ્રગટ થાય છે, ભાવઋતજ્ઞાનરૂપ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, વીર્યનો અંશ પ્રગટ થાય છે, સ્વચ્છતા ને પ્રભુતાનો અંશ પણ પર્યાયમાં વ્યક્ત થાય છે. તે બધી નિર્મળ પ્રગટ થયેલી પર્યાયો, અહીં કહે છે, ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય નથી. અહાહા....! ધ્યાતા પુરુષ આ પ્રગટ પર્યાયોને જાણે છે ખરા પણ તે પર્યાયોનું ધ્યાન કરતા નથી. તે પર્યાયોને ધ્યાવતા નથી.
ખૂબ ઝીણી વાત પ્રભુ! આઠ દિવસથી ચાલે છે. આજે આ છેલ્લું પ્રવચન છે. અહા ! સચ્ચિદાનંદમય નિજ ભગવાનના સ્વરૂપને કહેનારી ભગવાનના ઘરની આ ભાગવત કથા છે. કહે છે–સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલી જે વીતરાગવિજ્ઞાન દશા તેને ધર્માત્મા પુરુષ ધ્યાવતા નથી, તો કોને ધ્યાવે છે? અહા ! ધર્મી પુરુષ કોનું ધ્યાન કરે છે? તો કહે છે-સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધપારિણામિકપરમભાવસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્ય સદાય અંદર વિરાજી રહ્યું છે તેને ધર્માત્મા ધ્યાવે છે.
અહા! અંદર શક્તિસ્વરૂપ જે વસ્તુ આત્મા છે તે ત્રિકાળ નિરાવરણ છે. ભાઈ ! તારા દ્રવ્યનું દ્રવ્યમાન સ્વભાવથી સદાય નિરાવરણ છે, પર્યાયમાં રાગ સાથે અને કર્મ સાથે એક સમય પૂરતો વ્યવહારે ભલે સંબંધ હો, પણ અંદર વસ્તુ જે ભૂતાર્થ છે, ચિદાનંદમય સદા વિદ્યમાન છે તે નિરાવરણ છે. ભગવાન! તારી વસ્તુ અંદર પરમાનંદમય સદા નિરાવરણ છે, કર્મ અને રાગના સંબંધથી રહિત છે. હવે આવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com