________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩ર૦ ]
[ ૧૫૯ અરે ભાઈ ! તું શું કહે છે આ? બાપુ! આ અધ્યાત્મની વાત વાદ કર્યો સમજાય એવી નથી. આ તો અંતર-પરિણમનમાં સમજાય એવી ચીજ છે. જુઓને, સમયસાર ગાથા-૧૧ ના ભાવાર્થમાં પં. શ્રી જયચંદજીએ કેવી ખુલાસાભરી સરસ વાત કરી છે! કે
૧. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે, ૨. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે, ૩. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક ) જાણી
બહુ કર્યો છે; ૪. પણ એનું ફળ સંસાર જ છે.
લ્યો, હવે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ વ્યવહારનો પક્ષ તો જીવોને અનાદિથી જ છે. એકબીજાને ઉપદેશ પણ એવો જ કરે છે કે વ્રત, તપ, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરો.... એનાથી પરંપરા મોક્ષ થશે; વળી શાસ્ત્રોમાં પણ શુદ્ધનયને હસ્તાવલંબ' જાણી વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે. પણ ભાઈ ! એનું ફળ સંસાર જ છે. આવી વાત!
વળી ત્યાં કહ્યું છે કે૧. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી, ૨. અને એનો ઉપદેશ પણ વિરલ છે-ક્યાંક ક્યાંક છે, ૩. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ
પ્રધાનતાથી દીધો છે કે
શુદ્ધનય ભૂતાર્થ છે. સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી.” જુઓ, ગૃહસ્થાશ્રમમાં રહીને આવો ભાવાર્થ પંડિત શ્રી જયચંદજીએ લખ્યો છે!
અહીં જયસેનાચાર્યદેવ કહે છે- “સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે?' તો કહે છે
(શુદ્ધપરિણામિકભાવ) બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિ-પરિણતિ, તે રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા-શુદ્ધભાવના-પરિણતિ, તે રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ-પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com