________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
થન રત્નાકર ભાગ-૯ કહે છે-તે કર્તૃત્વ-ભોકતૃત્વથી ને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે. પરમાત્મપ્રકાશમાં (દોહા ૧૯૧ ની ટીકામાં) પરમાનંદસ્તોત્રનો શ્લોક આવે છે ને કે
"आनंदं ब्रह्मणो रुपम् निजदेहे व्यवस्थितम्।
ध्यानहीना न पश्यन्ति जात्यंधा इव भास्करम्।।" અહાહા....! દેહમાં શરીરમાં ભિન્નપણે વિરાજમાન બ્રહ્મ નામ પરમસ્વભાવવાન ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરૂપ છે. પરંતુ અંતર્દષ્ટિ-સહિત જે ધ્યાન તે ધ્યાન વિનાના પ્રાણી આનંદકંદ પ્રભુ આત્માને જોઈ શકતા નથી, કોની જેમ? તો કહે છે જે જન્મથી અંધ છે તે સૂર્યને જોઈ શકતો નથી તેમ. અહા ! આત્મા અંદરમાં અતીન્દ્રિય આનંદરૂપ-પરમસ્વભાવભાવરૂપ છે તેને અનાદિથી મિથ્યાદષ્ટિ જોઈ શકતો નથી.
અહીં પણ કહે છે–પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધ-દ્રવ્યાર્થિકનયે જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી અને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે. આ પરમસ્વભાવભાવ જે એક આનંદરૂપ, જ્ઞાયકરૂપ, ધ્રુવ સ્વભાવભાવરૂપ શુદ્ધ-ઉપાદાનભૂત છે. તે ત્રિકાળીની અહીં વાત છે. પર્યાયમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા પ્રગટે છે તેને પણ (ક્ષણિક ) શુદ્ધ-ઉપાદાન કહેવાય છે. અહીં ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ-ઉપાદાન તરીકે લેવું છે.
અહાહા ! જયસેનાચાર્ય મહા મુનિવર દિગંબર સંતની આ ટીકા છે. તેઓ વનવાસી મુનિ હતા. મુખ્યપણે નિજાનંદરસમાં લીન રહેતા હતા. તેમની આ ટીકા છે. તેમાં શું કહે છે? કે પરમપારિણામિક પરમભાવરૂપ એવો જે શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તેને ગ્રહણ કરનાર અર્થાત્ જાણનાર શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી શૂન્ય છે. અહીં શુદ્ધદ્રવ્યાર્થિકનકે કહ્યું ને? મતલબ કે શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે પણ તેના લક્ષે જે વર્તમાનદશા પ્રગટે છે તે પણ કર્તા-ભોક્તાપણાથી શૂન્ય છે. અહાહા....! જે ત્રિકાળને પકડે એવી જે આનંદની દશા તે–રૂપે જે પરિણત છે તે જીવ પણ શુભાશુભ રાગના અને પરપદાર્થના કર્તા-ભોક્તાપણાથી શૂન્ય છે. હવે લોકોને બિચારાઓને આ સાંભળવા મળે નહિ એટલ કઠણ પડ; પણ ભાઈ ! આ પરમ સત્ય વાત છે.
દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં નિશ્ચય સમકિત અને નિશ્ચય ચારિત્ર પ્રગટશે એમ જેઓ માને છે તેમને શુદ્ધ અંત:તત્ત્વની ખબર નથી. કેટલાક તો આ શુદ્ધ અંત:તત્ત્વની વાત એકાંત છે એમ માની ઉડાવી દે છે. પણ અરે પ્રભુ ! આવા ભાવથી તને સંસારનું પરિભ્રમણ થશે. ભાઈ ! આ તો તારા હિતની વાત છે. એની ઉપેક્ષા કરવાથી તેને ભારે નુકશાન છે. અરેરે ! સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન કેવળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com