________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૫૩
दुःखसुखकरणाध्यवसायस्यापि एषैव गतिःजो अप्पणा दु मण्णदि दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २५३ ।।
य आत्मना तु मन्यते दुःखितसुखितान् करोमि सत्त्वानिति।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५३ ।। દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છે:
જે માનતો-ભુજથી દુખીસુખી હું કરું પ૨ જીવને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩. ગાથાર્થ:- [ :] જે [તિ મુખ્યતે] એમ માને છે કે [ 1] મારા પોતાથી [ સન્વીન] હું (પર) જીવોને [વિતસુવિતાન] દુઃખી-સુખી [ રોમિ] કરું છું, [સ:] તે [મૂઢ:] મૂઢ (મોહી) છે, [અજ્ઞાની] અજ્ઞાની છે, [1] અને [બત: વિપરીત:] આનાથી વિપરીત તે [ જ્ઞાની] જ્ઞાની છે.
ટીકા - “પર જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પર જીવો મને દુઃખી તથા સુખી કરે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ:- “હું પર જીવોને સુખી-દુ:ખી કરું છું અને પર જીવો મને સુખી-દુ:ખી કરે છે” એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે-સમ્યગ્દષ્ટિ છે.
સમયસાર ગાથા ૨૫૩ મથાળું દુ:ખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છે:
* ગાથા ૨૫૩: ટીકા ઉપરનું પ્રવચન * પર જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પર જીવો મને દુઃખી તથા સુખી કરે છે–એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com