SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છે, શુદ્ધ ચૈતન્યમાં નથી. પણ એમ ન માનતાં રાગનું અસ્તિત્વ પોતાનું માન્યું એવા મિથ્યાત્વસહિત રાગાદિકથી જ બંધ છે. ત્યારે કોઈ વળી કહે છે બસ કરવું ધરવું (વ્રત, તપ આદિ કરવાં-ધરવાં) કાંઈ નહિ એટલે મઝા. તેને કહીએ છીએ-શું કરવું છે ભાઈ ? શું રાગને કરવો છે? અહા! રાગને કોણ કરે? રાગને કરવો એ તો મિથ્યાત્વ છે. અરે પ્રભુ! રાગ વિનાની અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં જવું એ શું કરવું નથી ? એ જ કર્તવ્ય છે ભાઈ ! પણ અરે ! એને બિચારાને એની સૂઝ પડતી નથી અને બહારનું (રાગનું કર્તાપણું) છોડાતું નથી. શું થાય? પ્રભુ! તું અવળે (માર્ગે) છો ભાઈ ! આ તો ગણધરો મુનિવરો ને એકાવતારી ઈન્દ્રોની સમક્ષ ધર્મસભામાં દેવાધિદેવ અરહંત પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવની જે વાણી ખરી તે આ છે ભાઈ ! શું કહ્યું? કે ભગવાનની વાણીમાં આ આવ્યું છે કે જે કોઈ પ્રાણી ભગવાન આત્મામાં સ્વભાવવિભાવને એકપણે કરે છે તે મિથ્યાદષ્ટિ છે. હું પરને મારું એમ અભિપ્રાયથી સ્વ-પરને એક કરે છે તે મિથ્યાદષ્ટિ છે. અહા! ચિદાનંદઘન અકૃત્રિમ પ્રભુ આત્મામાં કૃત્રિમ રાગને ભેળવવો તે મિથ્યાત્વ છે, સંસાર છે. એમાં તો વીતરાગતા ને રાગ બેય માન્યતામાં એક થયા; પણ એમ કદીય બનવા યોગ્ય નથી. પછી વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ કયાં રહ્યું? અહા ! જેને જ્ઞાન ને રાગની ભિન્નતા ભાસી છે તે સમકિતી કદીય રાગને પોતાની ચીજ માને નહિ એણે તો રાગથી જુદો ત્રણલોકનો નાથ જ્ઞાનાનંદનો દરિયો પોતાનો આત્મા દષ્ટિમાં લીધો છે. તેથી તેને મન-વચન-કાયનો યોગ, ઇન્દ્રિયોનો વેપાર કે ચેતન-અચેતનનો ઘાત ઇત્યાદિ બંધનાં કારણે થતાં નથી. અજ્ઞાની જીવ પોતાના ત્રિકાળી સ્વભાવમાં રાગનું એકત્વ કરે છે. તેથી કોઈ પણ પ્રાણીને તે બહારમાં હણતો નથી તોય તે છકાયના જીવનો હિંસક છે. પોતાનો, સ્વરૂપનો ઘાત કરે છે ને? તેથી તે હિંસક છે. (જાઓ પ્રવચનસાર ગાથા ૨૩૬ ટીકા). ભજનમાં આવે છે ને કે દવ લાગ્યો ડુંગરીએ, બેની કયાં જઇને કહીએ? અહા! આત્માને (અજ્ઞાનીને) રાગની એકતારૂપ મિથ્યાત્વનો દવ લાગ્યો છે. ત્યાં શું થાય? તેને સ્વભાવની હિંસા થાય જ છે, તેને બંધ થાય જ છે. અહીં કહે છે-લોક, મન-વચન-કાયનો યોગ, ઇન્દ્રિયોનો વેપાર ને ચેતનઅચેતનનો ઘાત ઇત્યાદિ કારણોથી બંધ નથી કહ્યો, એક રાગાદિકથી જ બંધ કહ્યો છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy