________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ ‘માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.’
કહે છે-ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ એમ બે-રૂપ યથાર્થ જાણીને અભેદ એક જ્ઞાતાદષ્ટા સ્વભાવનો અનુભવ કરવો, અને રાગ ને પર્યાયનું લક્ષ છોડવું. આનું નામ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે એમ ભગવાન કહે છે.
અરે! લોકો તો બિચારા સંસારમાં ધંધા-વેપાર આદિથી નવરા જ પડતા નથી. આખો દિ' એકલા પાપમાં રચ્યાપચ્યા રહે છે. એવા જીવોને કદાચિત્ બે-પાંચ કરોડ એકઠા થઈ જાય તોય શું? તેઓ બિચારા જ છે, રાંકા-ભિખારા જ છે. શાસ્ત્રમાં આવા જીવોને ‘વાળા:’ વરાકા કહ્યા છે.
આટલા બધા પૈસા હોય તોય ?
હા, તોય; કેમકે અંદર પોતે ચૈતન્યલક્ષ્મી જ્ઞાનાનંદની લક્ષ્મીનો પૂરણ ભંડાર છે એનું એને ક્યાં ભાન છે? અહા! પોતાની સ્વરૂપલક્ષ્મીના ભાન વિના બારમાં ધનાદિ વૈભવનો ગમે તેટલો સંયોગ હોય શું કામનો ? અંદર સંતોષ ને તૃપ્તિ તો છે નહિ. લાવ-લાવ-લાવ એમ વૃત્તિમાં તો તૃષ્ણા જ રહ્યા કરે છે. માટે તેઓ રાંકા-વરાકા જ છે. સમજાણું કાંઈ... ?
અરે! આ પૈસા મારા ને હું તે કમાયો એવી મમતા કરી કરીને જીવો બિચારા મરી જાય છે (દુ:ખી થાય છે).
એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ જૈનમાં જન્મેલા છતાં અંબાજીને ખૂબ માનતા; એમ કે આ ધનસંપત્તિ અંબાજીથી મળી છે. અરે ભાઈ! લક્ષ્મી આદિ સંયોગ તો પૂર્વે જે શુભભાવ કર્યા હતા અને તે કાળે જે શુભબંધ પડયો હતો તે ઉદયમાં આવતાં સંયોગરૂપે મળે છે. એ કાંઈ કોઈની (માતા વગેરેની ) માનતા કરવાથી મળે છે એમ નથી. ભાઈ! કોઈનીય માનતા કરવાથી લક્ષ્મી મળે છે એ માન્યતા ખૂટી છે અને તે વડે એને મિથ્યાત્વાદિનો જ બંધ પડે છે.
વળી લક્ષ્મી આદિના સંયોગથી આને કાંઈ લાભ થાય છે એમેય નથી, ઉલટું એ સંયોગ વડે આને નુકશાન જ થાય છે કેમકે એ સંયોગના લક્ષે આને રાગ-દ્વેષાદિ જ થાય છે અને તે દુઃખરૂપ અને દુઃખના કારણરૂપ જ છે.
વળી ખરેખર, પૈસા મળતાં પૈસા કાંઈ એને મળે છે એમ નથી. પૈસા તો જડ છે; એ જીવને કેવી રીતે મળે? જીવને તો એની મમતા મળે છે અને એની મમતાનો ભાવ એને દુઃખરૂપ જ છે. હવે આમાં શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે.
અરે ! અનંતકાળમાં એણે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો એક ક્ષણ પણ અનુભવ કર્યો નહિ. એણે નિરંતર રાગદ્વેષાદિનું જ વેદન કીધા કર્યું. અહા ! એને ક્ષુદ્રભવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com