________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯૬ कह सो घिप्पदि अप्पा पण्णाए सो दु घिप्पदे अप्पा। जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्यो।। २९६ ।।
कथं स गृह्यते आत्मा प्रज्ञया स तु गृह्यते आत्मा।
यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः।। २९६ ।। (આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય ?' –એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છે:
એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે;
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬. ગાથાર્થ- (શિષ્ય પૂછે છે કે-) [ સ: માત્મા ] તે (શુદ્ધ) આત્મા [વર્થ] કઈ રીતે [ઘતે] ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે-) [ પ્રજ્ઞયા તુ] પ્રજ્ઞા વડ [સ: માત્મા] તે (શુદ્ધ) આત્મા [ ગૃહ્યd] ગ્રહણ કરાય છે. [૧થા] જેમ [પ્રજ્ઞયા] પ્રજ્ઞા વડે [વિમm:] ભિન્ન કર્યો, [ તથા ] તેમ [પ્રજ્ઞયા ઇવ ] પ્રજ્ઞા વડે જ [ દીતવ્ય:] ગ્રહણ કરવો.
ટીકાઃ- શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડ જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો; કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે-જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
ભાવાર્થ- ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી; માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
સમયસાર ગાથા ૨૯૬: મથાળું આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?” અર્થાત્ શુદ્ધાત્માને અનુભવવો કેવી રીતે? –એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છે:
* ગાથા ૨૯૬: ટીકા ઉપરનું પ્રવચન * લ્યો, આ એકદમ સાર-સાર ગાથા છે. ઝગડા બધા મટી જાય એવી આ ગાથા છે. ગાથામાં પ્રશ્ન અને ઉત્તર બને છે. શું કહે છે? કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com