________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ નહિ તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે. પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને છોડીને પૂર્વે ગ્રહ્યા હતા તે પરમાં-શરીરાદિ પદાર્થોમાં રોકાઈ જવું તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે.
અને શરીરાદિ પર પદાર્થોના નિમિત્તે પૂર્વે જે રાગદ્વેષના ભાવ થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, વા તે મારા હતા એમ તેમાં મમત્વ રહેવું તે ભાવ-અપ્રતિક્રમણ છે. અહા! પૂર્વે જે પરદ્રવ્યોના લક્ષે રાગદ્વેષાદિ ભાવો થયા હતા એનાથી વર્તમાનમાં પાછા ન ફરવું, એનાથી ખસવું નહિ એનું નામ ભાવ-અપ્રતિક્રમણ છે. અહા ! તે એને મોટું મિથ્યાત્વનું પાપ છે.
આમ આ બધા લોકોની સેવા કરી ને આવા દાન દીધાં ને આમ જીવોની દયા પાળી-એમ જે પરદ્રવ્યોના લક્ષે રાગ વિકાર થયો હતો તેને વર્તમાનમાં ભલો જાણવો, તેના સંસ્કાર રહેવા અને તેનું મમત્વ રહેવું એ ભાવ-અપ્રતિક્રમણ છે. લ્યો, આવી આકરી વાત ! સવાર સાંજ પાઠ કરતા હોય ને પડિકમણનો ? એ સંપ્રદાયના-વાડાના લોકોને આ આકરું લાગે; એમ કે અમે પાઠ કરીએ ને એ પડિક્રમણ નહિ?
એ પડિક્રમણ નહિ બાપા! એ તો એકલો રાગ છે ભાઈ ! પોતે સ્વવસ્તુ શું? ને એ પરવસ્તુ શું? –એનું હવે ભારેય ન હોય એને પડિક્કમણ કેવું? પૂર્વે દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા હતા; એ પરદ્રવ્ય હતા. એના લક્ષથી પાછો હુયો નથી એ દ્રવ્ય-અપ્રતિક્રમણ છે; અને એમને ભલા જાણીને એમના પ્રતિ રાગ થયો હતો તેને વર્તમાનમાં ભલો જાણીને એનાથી પાછો હુયો નથી તે ભાવ-અપ્રતિક્રમણ છે. આવી વાત છે! સમજાણું કાંઈ...? આ અતીત કાળની વાત કરી. હુવે કહે છે
તેવી રીતે આગામી કાળસંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય–અપ્રત્યાખ્યાન છે અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું તે ભાવ-અપ્રત્યાખ્યાન છે.”
હવે ભવિષ્યમાં શરીર સારું રૂપાળું મળે તો ઠીક, સામગ્રી અનુકૂળ મળે તો ઠીકએવી ભવિષ્યના પરદ્રવ્યની વાંછા રાખવી ને તેમાં મમત્વ કરવું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યસંબંધી પરદ્રવ્યનું પચખાણ નથી કર્યું તે દ્રવ્ય-અપ્રત્યાખ્યાન છે. અને પર-દ્રવ્યના નિમિત્તે આગામી કાળમાં થનારા પુણ્ય-પાપ આદિ ભાવોની વાંછા રાખવી, ભવિષ્યમાં આવા શુભાશુભ ભાવો થાય તો ઠીક એમ વિભાવની વાંછા રાખવી, એનું મમત્વ રાખવું તે ભાવ-અપ્રત્યાખ્યાન છે.
અહાહા...! આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ એકલી પવિત્રતાનો પિંડ છે. જેમ પુદ્ગલનો સ્કંધ ઘણા રજકણોનો ખંધ-સ્કંધ છે તેમ ભગવાન આત્મા અનંત અનંત ગુણનો બંધ નામ પિંડ છે–અહા ! એવી પોતાની નિર્વિકાર નિર્મળ પવિત્ર ચીજને ભૂલીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com