________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૦૫
સમયસાર ગાથા ૨૭૮-૨૭૯ ]
અહાહા...! શુદ્ધ ચૈતન્યરસ-જ્ઞાનાનંદરસના અમૃતના સ્વાદિયા જ્ઞાનીને જે પુણ્ય
પાપના ભાવ થાય છે તે ઉ૫૨ ને ઉપર ભિન્ન તરતા રહે છે પણ સ્વભાવમાં પ્રવેશતા નથી. અહાહા...! જેને પુણ્ય-પાપથી અધિક પોતાનો નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવ ભાસ્યો તેની દષ્ટિમાં પુણ્ય-પાપના ભાવ ભિન્ન જ રહી જાય છે. અર્થાત્ એને જ્ઞાની પોતાથી ભિન્ન જાણે છે, સ્વરૂપમાં ભેળવતો નથી.
‘અત: વ્યા: ન મવતિ' તેથી તે (રાગાદિકનો ) કર્તા નથી.
અહાહા...! જેણે પોતાનો વસ્તુસ્વભાવ જાણ્યો છે તે ધર્મી પુરુષ રાગાદિનો કર્તા નથી, અકર્તા છે, અર્થાત્ જ્ઞાતા જ છે. પર્યાયમાં નબળાઈને લીધે જે રાગાદિ થાય છે તેનો તે માત્ર જ્ઞાતા જ છે. અહા ! તેને જે રાગ થાય એ માત્ર જાણેલો પ્રયોજનવાન છે અર્થાત્ તે રાગાદિને માત્ર જાણે જ છે, તેનો કર્તા થતો નથી. આવી વાત છે! હવે એને નવરાશ વિના કે દિ' સાંભળે ને કે દિ' એનો અંતરમાં મેળ કરે ?
[પ્રવચન નં. ૩૩૮ અને ૩૩૯
* દિનાંક ૧૧-૫-૭૭ અને ૧૨-૫-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com