________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮ ]
થન રત્નાકર ભાગ-૮ અહાહા...! અંદર ભગવાન એકરૂપ ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. એની વર્તમાન શ્રદ્ધામાં એને નવ પદાર્થ નિમિત્ત થાય છે તે વ્યવહાર શ્રદ્ધા છે, એ નિશ્ચય શ્રદ્ધા નામ સત્યાર્થ શ્રદ્ધાન નહિ. એને વ્યવહાર સમકિત કહો કે ઉપચાર સમકિત કહો કે ભેદરૂપ શ્રદ્ધાન કહો-બધી એક વાત છે. કેમકે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે માટે નવ પદાર્થો દર્શન છે-એમ અહીં વ્યવહાર દર્શાવ્યો છે.
હવે કહે છે- “છ જીવ-નિકાય ચારિત્ર છે.' અહા! ભાષા તો જુઓ! છ કાયના જીવનો સમૂહ તે ચારિત્ર છે એમ કહે છે. આ વ્યવહારચારિત્ર-પંચમહાવ્રતાદિના વિકલ્પની વાત છે.
તો પછી છ જીવ-નિકાય ચારિત્ર છે એમ કેમ કીધું?
કારણ કે એ વ્યવહારચારિત્રનો જે વિકલ્પ છે એનો આશ્રય છે જીવ-નિકાય છે. પંચ મહાવ્રતના પરિણામને ચારિત્ર ન કહેતાં એ પરિણામમાં છે જીવ-નિકાય નિમિત્ત છે તેથી જ જીવ-નિકાયને ચારિત્ર કીધું.
લ્યો, હવે એ ચારિત્ર કહ્યાં ત્યાં (છ જીવ-નિકાયમાં) આવ્યું? ચારિત્ર તો અહીં (મહાવ્રતાદિના) પરિણામ-વ્યવહાર છે? પણ એ વ્યવહારના પરિણામનો આશ્રય-લક્ષ છે જીવ-નિકાય છે તેથી જ જીવ-નિકાય ચારિત્ર છે એમ કીધું છે.
અહા! જે એકેન્દ્રિય આદિ નથી માનતા એની તો અહીં વાત જ નથી. પણ આ તો નિગોદ સહિત એકેન્દ્રિય આદિ અનંતા અનંત છ કાયના જીવ છે એમ માને છે એની વાત કરી છે. તો કહે છે-છ જીવ-નિકાય ચારિત્ર છે, કારણ કે એનું વલણ છ કાયના જીવની અહિંસા-રક્ષા પર છે.
છે જીવ-નિકાયની અહિંસામાં તો એક અહિંસા મહાવ્રત જ આવ્યું?
હા, પણ એક અહિંસા મહાવ્રતમાં બીજાં ચારેય સમાઈ જાય છે. બીજાં ચાર વ્રતો છે તે અહિંસાની વાડો છે, એ અહિંસા મહાવ્રતમાં આવી જાય છે તેથી અહીં છે જીવનિકાયની અહિંસાની એક જ વાત લીધી છે. આ પ્રમાણે છે જીવ-નિકાય ચારિત્ર છે એમ વ્યવહારે વ્યવહારચારિત્ર કીધું.
એ પ્રમાણે વ્યવહાર છે. એમ કે આચારાંગ આદિ શબ્દશ્રુત જ્ઞાન છે, જીવાદિ નવ પદાર્થ દર્શન છે, છ જીવ-નિકાય ચારિત્ર છે-આ સર્વ વ્યવહાર છે. આ વ્યવહારની વ્યાખ્યા કરી. તે નિષેધવા યોગ્ય છે તે પછી કહેશે.
હવે નિશ્ચયની વાત કરે છે. શું કહે છે? કે
શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (–શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. એ પ્રમાણે નિશ્ચય છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com