________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ અધ્યવસાનને મતિ શબ્દથી પણ કહેવામાં આવે છે. મતિજ્ઞાન તે આ નહિ. આ તો જેમાં વિપરીત જાણવું-માનવું છે તેવા અધ્યવસાનને અહીં મતિ કહ્યું છે.
વળી વિજ્ઞપ્તિમાત્રપણાથી તે વિજ્ઞાન છે. જાઓ, વીતરાગવિજ્ઞાન તે આ નહિ. આ તો વિજ્ઞાન એટલે વિરુદ્ધ જ્ઞાન એમ વાત છે. હું પરને મારું જિવાડું, હું નારકી–મનુષ્ય છું, પર ચીજો જણાય તે મારી છે-એવું સ્વરૂપથી વિરુધ્ધ જ્ઞાન છે ને? તેને અહીં વિજ્ઞાન શબ્દથી કહ્યું છે.
વળી, (તે જ અધ્યવસાન) “ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે.”
ચેતનના પરિણામ છે ને? તેથી તેને ચિત્ત પણ કહે છે, ભાવ પણ કહે છે ને પરિણામ પણ કહે છે. અહીં નિર્મળ ભાવ-પરિણામની વાત નથી. આ તો પર મારાં ને પરની ક્રિયા હું કરું-એવો મિથ્યા અભિપ્રાય જેમાં છે એ પરિણામની વાત છે.
કોઈ લોકો એમ કહે છે કે-અધ્યવસાનને જ બંધનું કારણ કહ્યું છે, પણ જિવાડવાનો ભાવ એ બંધનું કારણ નથી.
અરે ભાઈ ! જ્યાં સુધી માં એકતા થઈ નથી ત્યાં સુધી પરમાં એકત્વબુદ્ધિ પડેલી જ છે. તેથી પરમાં એત્વબુદ્ધિસહિત જે પરિણામ-ભાવ છે તે બંધનું જ કારણ છે. અહા ! તેને અધ્યવસાન કહો, ભાવ કહો, પરિણામ કહો, બુદ્ધિ કહો—બધું એકાર્યવાચક જ છે, સમજાણું કાંઈ...?
ભાવાર્થ- “આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.' આ ભાવાર્થ કહ્યો.
અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યા છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે' –એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
* કળશ ૧૭૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આચાર્યદવ કહે છે કે - “સર્વત્ર ય અધ્યવસાનમ્' સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે “વિન' તે બધાંય “નિનૈ:' જિન ભગવાનોએ “વ” પૂર્વોક્ત રીતે “ત્યાખ્યું ૩$' ત્યાગવાયોગ્ય કહ્યાં છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com