________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૦ ]
[ ૧૮૭
કહે છેઃ
સમયસાર ગાથા ૨૭૦ : મથાળું
:
આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી-એમ હવે ગાથામાં
* ગાથા ૨૭૦ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે.’
શું કહે છે? કે આ જે કાંઈ પ૨ને મારું-જિવાડું ઈત્યાદિથી માંડીને હું દેવ, હું નારકી ઈત્યાદિ ને આ બીજા જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશાદિ મારાં-એમ પ૨ને પોતાના માનવારૂપ અધ્યવસાનો છે તે બધાંય અજ્ઞાનાદિરૂપ હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. ૫૨ને જિવાડવાનો કે સુખી કરવાનો ભાવ શુભ છે અને મારવાનો કે દુઃખી કરવાનો ભાવ અશુભ છે. પણ એ બન્નેય એક સરખી રીતે બંધનાં જ કારણ છે. અહા! પોતે બધાયનો જાણવારૂપ છે એને બદલે બધાંય મારાં છે એમ માને તે માન્યતા બંધનું કારણ છે. આવી વાત છે. હવે કહે છે:
તે વિશેષ સમજાવવામાં આવે છેઃ
‘હું ૫૨ જીવોને હણું છું-ઈત્યાદિ જે આ અઘ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે સતરૂપ, અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન ( અશ્રદ્ધાન ) હોવાથી (તે અધ્યવસાન ) મિથ્યાદર્શન અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.
જુઓ, ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ સદા એક જ્ઞાનમય; જ્ઞાનવાળો એમેય નહિ, પણ એક જ્ઞાનમય અર્થાત્ જ્ઞાનરૂપ જ છે. એમાં પરનું કરવાપણું ક્યાં છે? નથી. અહીં કહે છે–જ્ઞાનમયપણાને લીધે સત્ અહેતુક સિ જ એક એની ક્રિયા છે. શું કીધું ? ભગવાન આત્માને જ્ઞપ્તિ જ એક ક્રિયા છે અને તે સત્ ને અહેતુક છે. ગજબ વાત છે ભાઈ ! આ વર્તમાન જાણવારૂપ જે જ્ઞતિક્રિયા છે તે ક્રિયા પોતે પોતાથી સત્ છે ને તેનું કોઈ બીજું કારણ નથી. અહાહા...! આ નિર્મળ નિરુપચાર રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની જે ક્રિયા પ્રગટ થઈ સ્વયં સત્ છે, અને તેનું બીજું કોઈ કારણ નથી; આ વ્યવહારરત્નત્રયના પરિણામ છે એનાથી એ પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહારથી નિશ્ચય
થાય એમ કોઈ લોકો કહે ને? એ અહીં આ ના પાડે છે, કહે છે કે-એ નિર્મળ રત્નત્રયની ક્રિયા અહેતુક છે, અર્થાત્ વ્યવહા૨૨ત્નત્રય એનો વાસ્તવિક હેતુ નથી. સમજાણું sirs...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com