________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭૦
एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि। ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति।। २७०।। एतानि न सन्ति येषामध्यवसानान्येवमादीनि ।
ते अशुभेन शुभेन वा कर्मणा मुनयो न लिप्यन्ते ।। २७० ।।
આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી-એમ હવે ગાથામાં કહે છે:
એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને,
તે મુનિવો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.
ગાથાર્થ:- [જ્ઞાનિ] આ (પૂર્વે કહેલાં ) [વમાવીનિ] તથા આવા બીજા પણ [અધ્યવસાનાનિ] અધ્યવસાન [યેષામ્] જેમને [ત્ત સન્તિ] નથી, [ તે મુનય: ] તે મુનિઓ [શુમેન ] અશુભ [વા શુમેન] કે શુભ [ર્મળા] કર્મથી [ન નિયત્તે] લેપાતા નથી.
ટીકા:- આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. તે વિશેષ સમજાવવામાં આવે છેઃ- ‘હું (૫૨ જીવોને ) હણું છું', ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે `સતરૂપ અહેતુક સિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી ་નન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાન ) હોવાથી ( તે અધ્યવસાન ) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. [ વળી ‘હું ના૨ક છું' ઇત્યાદિ જે અધ્યવસાન છે તે
૧. સપ = સત્તાસ્વરૂપ; અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સરૂપ અહેતુક તિ જ તેની એક ક્રિયા છે.)
૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ; સહજ.
–
૩. તિ = જાણવું તે; જાણનક્રિયા. (જ્ઞતિક્રિયા સતરૂપ છે, અને સરૂપ હોવાથી અહેતુક છે.)
૪. હનન = હણવું તે; હણવારૂપ ક્રિયા (હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.)
૫. વિશેષ= તફાવત; ભિન્ન લક્ષણ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com