________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-ર૬૭ ]
[ ૧૬૫ હવે વિશેષ વાત કે જ્ઞાનની પર્યાયમાં વર્તમાન પર પ્રકાશવાનું પ્રત્યક્ષ કરવાનું સામર્થ્ય છે તો તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? કરે. જો એમ છે તો પછી તે જ્ઞાનની પર્યાય ભવિષ્યની પર્યાયને પણ અત્યારે (-વર્તમાનમાં) કેમ ન જાણે? વર્તમાન જ્ઞાનપર્યાય અનંતા દ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણે છે તો પોતાની અનંત ભવિષ્યની પર્યાયને પણ કેમ ન જાણે? શું કીધું? કે જ્ઞાનમાં પરને જાણવાનું સામર્થ્ય પ્રત્યક્ષ નક્કી થાય છે તો એનામાં સ્વને જાણવાનું પણ સામર્થ્ય નક્કી થાય છે. અને તો પછી એ શ્રુતજ્ઞાનની પર્યાય ભવિષ્યને પણ વર્તમાનમાં જાણે છે એમ કેમ નક્કી ન થાય? ન્યાય સમજાય છે કાંઈ...? અહાહા..! કેવળજ્ઞાની પ્રત્યક્ષ જાણે છે અને શ્રુતજ્ઞાની પરોક્ષ જાણે છે. શ્રુતજ્ઞાની, ભવિષ્યની જે શ્રુતજ્ઞાનની થશે તે, ને કેવળજ્ઞાનની થશે તે-તે બધીય અનંતી પર્યાયને (પરોક્ષ) જાણે છે. અહા! ભગવાન! તારું કોઈ ગજબ અદભુત સામર્થ્ય છે! પ્રભુ! તું મહાન છો પણ તને તારા મહિમાની ખબર નથી.
- ભગવાન! તું પર ચીજની મોટામાં મુંઝાઈ ગયો? આ શું થયું તને? આ રાગ ને આ શેઠાઈ, આ દેવતાઈ ને આ વૈભવ, આ પૈસા કે આ શરીરનું રૂપાળાપણું-ઇત્યાદિમાં એમાં તું કયાંય નથી ભાઈ ! અને એ ચીજો તારામાં નથી. તારામાં તો એક સમયમાં લોકાલોકને પ્રકાશે એવું સામર્થ્ય છે પ્રભુ! અરેરે! એણે પરની મોટપ આડે અનંતકાળ દુઃખમાં-પામરતામાં જ વીતાવ્યો છે!
આ તો ન્યાયથી વાત છે ભાઈ ! અહા ! જે જ્ઞાનની પર્યાય પર પ્રકાશે છે તે સ્વને કેમ ન પ્રકાશે! અને જો સ્વદ્રવ્યને પ્રકાશે છે તો પછી પોતાની વર્તમાન, ભૂત ને ભવિષ્યની પર્યાયને કેમ ન જાણે ? જાણે; લ્યો, આ વસ્તુસ્થિતિ છે. શું? કે કરવાનું કાંઈ નહિ ને જાણવાનું બાકી કાંઈ નહિ. અહાહા..! પરમાં અકિંચિત્કર અને પરને જાણવામાં કાંઈ બાકી ન રહે એવો જ્ઞાનસ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી પ્રભુ આત્મા છે. અહાહા..! એ તો રાગવાળોય નહિ, પુષ્યવાળોય નહિ ને એના ફળવાળોય નહિ પણ એ તો પરપ્રકાશી જ્ઞાનનો પિંડ પ્રભુ છે.
જાઓ, પરનું કરવું ને રાગાદિનું કરવું એ આત્માનો સ્વભાવ નથી. ભાઈ ! આ વ્યવહારરત્નત્રયનો રાગ કરવો એ એનો સ્વભાવ નથી. પણ એ વ્યવહારરત્નત્રયના રાગને અને બીજાને જાણે એવો તેનો સ્વભાવ છે. હવે એ જાણે છે તો અનાદિથી પણ સ્વપ્રકાશને જાણ્યા વિના પરપ્રકાશનું પ્રમાણજ્ઞાન યથાર્થ થતું નથી. બાપુ! આવો વીતરાગનો માર્ગ સંતોએ જાહેર કર્યો છે.
અહાહા...! આત્મા પરનું કાંઈ ન કરે પણ પરને કાંઈપણ બાકી રાખ્યા વિના જાણે એવો એનો સ્વભાવ છે. પોતે જ્ઞ-સ્વભાવી છે ને? એટલે સ્વને પર-સર્વને જાણે એવું એનું સહજ સામર્થ્ય છે, પણ પરમાં કાંઈ કરે એવું એનું સામર્થ્ય જ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com