SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-ર૬૭ ] [ ૧૬૩ નહિ. વળી “હું આને બંધાવું-મૂકાવું-એવા તારા પરિણામ ન હોય તો પણ સામો જીવ પોતાના સરાગભાવથી બંધાય છે અને વીતરાગભાવથી મૂકાય છે. આ પ્રમાણે પરના બંધ-મોક્ષમાં તારો અધ્યવસાય અકિંચિત્થર છે, અર્થાત્ કાંઈ પણ કરી શકતો નથી; માટે તે મિથ્યા-નિરર્થક છે. લ્યો, આ નિમિત્તના સંબંધમાં મોટી તકરાર છે ને કે નિમિત્ત પરનું કાંઈક કરે છે. એમ નથી ભાઈ ! નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત પરનું કાંઈ પણ ન કરે. નિમિત્ત પરમાં અકિંચિકર છે. આવી જ વસ્તુવ્યવસ્થા છે બાપુ! કર્મનો ઉદય જીવના વિકારી પરિણામનો હેતુ–નિમિત્ત છે, પણ તે જીવના વિકારી પરિણામને જરીય ન કરે. આ વસ્તુસ્થિતિ છે. અહીં કહે છે-“આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.' જીવના પરને દુઃખી-સુખી કરવાના, પરને મારવા-જિવાડવાના કે પરને બંધાવામૂકાવાના અધ્યવસાન છે તે પરમાં અકિંચિત્કર હોવાથી પોતાની પ્રયોજનભૂત ક્રિયાસ્વઅર્થક્રિયા કરતા નથી માટે તે મિથ્યા છે. અલબત તે અધ્યવસાય પોતાના અનર્થ માટે સફળ છે, પણ પરમાં ક્રિયા કરવામાં નિષ્ફળ હોવાથી મિથ્યા છે. આવી વાત છે. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છે: * કળશ ૧૭૧ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * મનેન નિષ્ણુનેન 31ધ્યવસાયેન મોદિત:” આ નિષ્ફળ (નિરર્થક ) અધ્યવસાયથી મોહિત થયો થકો ‘લાત્મા ' આત્મા “તત્ સેિન પ ર વ શસ્તિ યત્ માત્માને ન રાતિ' પોતાને સર્વરૂપ કરે છે, એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય. શું કહે છે? કે આ જૂઠા-નિરર્થક અધ્યવસાયથી જીવ અનાદિથી ઘેલો નામ પાગલ થઈ રહ્યો છે. હું આનું કરું ને તેનું કરું, હું બાયડીનું કરું, છોકરાંનું કરું, રળવાનું કરું ને તેની વ્યવસ્થા કરું, બીજાને જિવાડવાનું કરું ને મારવાનું કરું, ઈત્યાદિ એવા અધ્યવસાયથી એ વિમોહિત અર્થાત્ પાગલ થઈ ગયો છે. અહા! આ બધા દુનિયાના કહેવાતા ડાહ્યા લોકો આ રીતે મૂર્ખ-પાગલ છે એમ કહે છે. જગતમાં જેટલા પદાર્થ છે તેની ક્રિયા હું કરું છું એમ માને છે ને? તેથી તેઓ મૂઢ મિથ્યાદષ્ટિ પાગલ છે, કેમકે વાસ્તવિક સ્વરૂપ તો આ છે કે હોતા સ્વયં જગત પરિણામ, મેં ઈસકા કયા કરતા કામ?” શાસ્ત્રમાં (સમયસાર કળશટીકામાં) આવે છે કે-જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ સમ્યકત્વ ઉપજવાને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy