________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬૫
न च बाह्यवस्तु द्वितीयोऽपि बन्धहेतुरिति शङ्कयम्वत्थु पडुच जं पुण अज्झवसाणं तु होदि जीवाणं। ण य वत्थुदो दुबंधो अज्झवसाणेण बंधोत्थि।। २६५।।
वस्तु प्रतीत्य यत्पुनरध्यवसानं तु भवति जीवानाम्।
न च वस्तुतस्तु बन्धोऽध्यवसानेन बन्धोऽस्ति।। २६५।। વળી ‘બાહ્યવસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે' એવી શંકા ન કરવી. (“અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્યવસ્તુ તે બંધનું બીજું કારણ હશે” એવી પણ શંકા કરવી યોગ્ય નથી; અધ્યવસાય જ એકનું એક બંધનું કારણ છે, બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.) આવા અર્થની ગાથા હવે કહે છે:
જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને,
પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ થાય છે. ૨૬૫. ગાથાર્થ- [ પુનઃ] વળી, [ નીવાનામ્] જીવોને [ પ ] જે [અધ્યવસાન ] અધ્યવસાન [ ભવતિ] થાય છે તે [વસ્તુ] વસ્તુને [ પ્રતીત્ય ] અવલંબીને થાય છે [૨ તુ] તોપણ [વસ્તુત:] વસ્તુથી [ન વન્ય: ] બંધ નથી, [ મધ્યવસાનેન] અધ્યવસાનથી જ [વશ્વ: બસ્તિ ] બંધ છે.
ટીકા - અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે (અર્થાત્ બંધનું કારણ જે અધ્યવસાન તેનું કારણ થવામાં જ બાહ્યવસ્તુનું કાર્ય ક્ષેત્ર પૂરું થાય છે, તે કાંઈ બંધનું કારણ થતી નથી). અહીં પ્રશ્ન થાય છે કે જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (“બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો, ત્યાગ કરો” એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે? તેનું સમાધાન:- અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઊપજતું નથી. જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્ય વસાન ઊપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા *વીરજનનીના પુત્રના સદ્ભાવમાં (કોઈને ) એવો
* વીરજનની = શૂરવીરને જન્મ આપનારી; શૂરવીરની માતા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com