________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ ]
થન રત્નાકર ભાગ-૮ અહાહા.....! આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ નિત્ય નિરંજન અંદર સદા ભગવાન સ્વરૂપે વિરાજે છે. અહા ! આવા પોતાના સ્વરૂપને ભૂલીને રાગ સાથે એકત્વ પામી, “હું બીજાને જિવાડી શકું, મારી શકું, સુખી-દુઃખી કરી શકું- “એમ અજ્ઞાનમય અધ્યવસાય કરે એ પુણ્ય-પાપરૂપ બંધનું કારણ છે. વળી કહે છે-પુણ્ય-પાપરૂપે બંધનું બે-પણું હોવા છતાં બંધના કારણમાં ભેદ ન શોધવો. પુણ્યબંધનું કારણ જૂદું છે ને પાપબંધનું કારણ જ છે. એમ ન માનવું, કેમકે બંધનનું કારણ એક મિથ્યા અધ્યવસાય જ છે. અહાહા...! આ પૈસાવાળાનાં તો અભિમાન ગરી જાય એવું આ છે. (પણ સમજે તો ને?).
અહાહા...! તું નિત્ય નિરંજન શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છો ને? તો ચૈતન્યપણાને છોડીને બીજાં શું કરે? જાણનાર-દેખનાર પ્રભુ તું જે થાય તેને જાણે-દેખે, પણ “જે થાય એને કરે“ – એ તો મિથ્યા માન્યતા છે, અજ્ઞાન છે. આચાર્ય મહારાજ કહે છે કે-એ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે, અનંત સંસારનું કારણ છે એમ નક્કી કરવું. ત્યાં (બંધના કારણમાં) એમ ન વિચારવું કે પુણ્યબંધનું કારણ બીજ છે ને પાપબંધનું કારણ બીજાં છે; કારણ કે એક જ આ અધ્યવસાય-પરને મારુ-જિવાડું છું, પરને સુખીદુઃખી કરું છું- તે, રાગમય ( રાગની એકત્વબુદ્ધિપૂર્વક ) હોવાથી બંધનું કારણ છે.
આમાંથી કોઈ લોકો એમ કાઢે છે કે જેને રાગની એકત્વબુદ્ધિ નથી એના પરિણામથી પ્રશસ્ત પદ મળે ને?
અરે ભગવાન! તને શું થયું છે આ? આ મોટા પૈસાવાળા શેઠ થાય, મોટા રાજા થાય કે દેવ થાય- એ પદ શું સારા છે? અને એ શું ઈચ્છવા જોગ છે? ભાઈ ! એ તો બધા ધૂળનાં પદ છે. સમ્યગ્દષ્ટિ તો એને સડલાં તણખલાં જેવાં ગણે છે. અહા ! જેને રાગની એત્વબુદ્ધિ નથી તે સમકિતીને રાગની ઈચ્છા નથી હોતી. તેને પુણ્યનીય ઈચ્છા નથી હોતી કે પાપનીય ઈચ્છા નથી હોતી. આ વાત નિર્જરા અધિકારમાં (ગાથા ર૧૦૨૨૧માં) આવી ગઈ છે. સમકિતી સંસારના કોઈ પદની વાંછા નથી કરતો. અજ્ઞાનીને જ એવા પદોની વાંછા રહ્યા કરે છે. અહા ! પુણ્ય ને પાપના ભાવ થાય, પણ જ્ઞાનીને એની ઈચ્છા નથી હોતી. એ તો જેમ બિલાડીની કેડ તૂટી ગઈ હોય પછી જરી હાલે પણ ભૂલી થઈને હાલે તેમ રાગ જેને તૂટી ગયો છે (-ભિન્ન પડી ગયો છે, તેને અંદરમાં રાગ થાય પણ કેડ તૂટેલી બિલાડીની જેમ અધમૂઓ (મરવા પડયો હોય) તેમ થાય. આવી વાત બહુ કઠણ ભાઈ ! દુનિયા બિચારી સમજ્યા વિના બહુ હેરાન થઈને મરી જાય છે.
અરે! લોકો બિચારા ધંધા વેપારમાં ને બાયડી-છોકરાં સાચવવામાં આખો દિ'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com