________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૪ થી ૨૫૬ ]
[ ૮૩ (વસન્તતિનવા) अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्यादृशो नियतमात्महनो भवन्ति।। १६९ ।। ફરી આ જ અર્થને દઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે
શ્લોકાર્થઃ- [Sતત્ જ્ઞાનમ્ થયાખ્ય] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને [૨ પરત્ પુરસ્ય –નીવિત–૩:વ-સૌરધ્ય પશ્યત્તિ] જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુ:ખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [તે] તે પુરુષો[ગદં$તિરસેન વર્માણ વિકીર્ષવ: ] કે જેઓ એ રીતે અહંકાર-રસથી કર્મો કરવાના ઇચ્છુક છે (અર્થાત્ “હું આ કર્મોને કરું છું' એવા અહંકારરૂપી રસથી જેઓ કર્મ કરવાનીમારવા-જિવાડવાની, સુખી-દુ:ખી કરવાની-વાંછા કરનારા છે) તેઓ- [નિયત ] નિયમથી [ મિથ્યાદા: ગાત્મન: ભવન્તિ] મિથ્યાદષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે.
ભાવાર્થ:- જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુ:ખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી શ્રુત થયા થકા રાગી, હૃષી, મોહી થઈને પોતાથી જ પોતાની વાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.
સમયસાર ગાથા ૨૫૪ થી ૨૫૬ : મથાળું હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે -
* ગાથા ૨૫૪ થી ૨૫૬ : ટીકા ઉપરનું પ્રવચન * પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે....”
જુઓ, આ પાછું આવ્યું. જેમ અગાઉ “જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે'—એમ કહ્યું હતું તેમ અહીં પણ લીધું કે “જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. આ વ્યવહારનું કથન છે. અહીં સિદ્ધ શું કરવું છે? કે જીવોને બીજો કોઈ સુખ-દુ:ખ કરી શકતો નથી. આ સિદ્ધ કરવા જીવોને કર્મના ઉદયથી સુખદુઃખ થાય છે એમ કહ્યું છે. બાકી કર્મ તો જડ છે, એનાથી કાંઈ જીવને સુખ-દુ:ખ થાય? ન થાય. આને સુખની સામગ્રી-પૈસા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com