SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેવી રીતે “સ્પર્શન'. જે આ સ્પર્શ ઇન્દ્રિય છે તે જડની પર્યાય છે, આત્માની નહિ. તે મારો સ્વભાવ નથી એમ ધર્મી જીવ જાણે છે. અજ્ઞાની પાંચ ઇન્દ્રિયો મારી છે અને તે વડે હું જાણું છું—એમ માને છે. પણ એ તો વિપરીતતા છે. જ્ઞાન-જાણવું એ આત્માનો સ્વભાવ છે અને ઇન્દ્રિયો જડ સ્વભાવ છે. માટે ઇન્દ્રિયો મારી છે અને તે વડ હું જાણું છું એ માન્યતા મિથ્યા છે. આ રીતે જુદાજુદા શબ્દો મૂકીને સોળ સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. અહાહા...! વિકારના, રાગના, વૈષના, વિકલ્પના, હાસ્યના અને તેના નિમિત્તરૂપ વસ્તુના જેટલા અસંખ્ય પ્રકાર પડે છે તે બધાય પર પુદ્ગલના કાર્યરૂપ છે, મારો સ્વભાવ નથી. હું તો શુદ્ધ જ્ઞાયકમાત્ર ભગવાન આત્મા છું, ચિદાનંદમય પરમાત્મા છું-એવી દષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે અને એના વિના બધાં થોથેથોથાં છે. આવી વાત છે. [ પ્રવચન નં. ર૬૮ (શેષ), ર૬૯ * દિનાંક ૨૧-૧૨-૭૬ અને રર-૧ર-૭૬ ] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy