________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ૨. “જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. અહા ! જ્ઞાની પુણ્યના ફળની કે પુણ્યભાવની કે હીરા, મણિ, રત્ન ઇત્યાદિ અન્ય વસ્તુના ધર્મોની વાંછાથી રહિત એવો નિ:કાંક્ષ હોય છે.
૩. “જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે.'
૪. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદષ્ટિ ગુણ હોય છે. અહા! સમકિતી સ્વરૂપમાં મૂઢ નથી, તે સ્વરૂપને અન્યથા જાણતો નથી. તેથી તેને અમૂઢદષ્ટિ ગુણ હોય છે. અરે ! જગત બિચારું સ્વરૂપને જાણ્યા વિના ધર્મને નામે ઠગાય
૫. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડ, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૂઠન ગુણ હોય છે.' જુઓ. “અન્યધર્મોને ગૌણ કરે' –એટલે વ્યવહારને ગૌણ કરી તેનો અભાવ કરે તેને ઉપગૂઠન ગુણ છે.
૬. “જે સ્વરૂપથી ચુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય
૭. “જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે.'
૮. “જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે.” હવે કહે છે
“આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા
નથી.'
જુઓ, શું કહ્યું? કે આ નિઃશંકિત આદિ ગુણો, તેનાથી વિરુદ્ધ એવા શંકાદિ દોષોથી જે બંધ થતો હતો તે થવા દેતા નથી. આવી વાત છે.
પણ આમાં કરવું શું? વ્રત કરો, દયા પાળો ઇત્યાદિ કહો તો કાંઇક સમજાય પણ ખરું?
સમાધાન- અરે ભાઈ ! અંદર આત્મા પોતે ભગવાન છે એની દયા પાળ ને! તેને તે જેવડો અને જેવો છે તેવડો અને તેવો માન તો તેની દયા પાળી કહેવાય. એનાથી જુદો-વિપરીત માનવો તે એની હિંસા છે. તને ખબર નથી ભાઈ ! પણ આત્માને પૈસાવાળો માનવો, સ્ત્રીવાળો માનવો ને રાગવાળો માનવો તે આત્માની હિંસા છે; ને તેને અનંતગુણમય ચિન્માત્રસ્વરૂપ માનવો તે તેની દયા છે. અહા ! જીવનું જીવન અનંતગુણથી ટકી રહ્યું છે, તો તેને એ રીતે માનવો તેનું નામ દયા છે. અહા! આ તો અજ્ઞાની સાથે વાતે વાતે ફેર છે. હવે વિશેષ કહે છે- “વળી આ ગુણોના સર્ભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com