________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૫
जो कुणदि वच्छलत्तं तिन्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ।। २३५ ।।
यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे । स वत्सलभावयुतः સમ્ય દષ્ટિÍતવ્ય:।। રરૂ૬।।
હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છેઃ
જે મોક્ષમાર્ગે ‘ સાધુ 'ત્રયનું વત્સલત્વ કરે અહો! ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૫.
ગાથાર્થ:- [ય: ] જે ( ચૈતયિતા ) [ મોક્ષમાર્ગે] મોક્ષમાર્ગમાં રહેલા [ ત્રયાનાં સાધૂનાં] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે ( અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે ) [ વત્સત્યં ોતિ] વાત્સલ્ય કરે છે, [સ: ] તે [ વત્સનમાવયુત: ] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત ) [ સમ્યગ્દષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
6
ટીકા:- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સભ્યપણે દેખતો ( –અનુભવતો ) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ:- વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ ૨સ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
સમયસાર ગાથા ૨૩૫ : મથાળુ
હવે વાત્સલ્યગુણની ગાથા કહે છેઃ
* ગાથા ૨૩૫ : ટીકા ઉપરનું પ્રવચન *
કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે’
* અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com