SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩૪ ] [ પર૧ અહા ! સમ્યગ્દષ્ટિ શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગથી વ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયકભાવમયપણું છે ને? તો અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. જુઓ, આ પ્રમાણે પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે. ધર્મીને સ્થિતિકરણ છે. હવે કહે છે તેથી તેને માર્ગથી ચુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.' અહા ! સમ્યગ્દર્શનમાં જેને સ્વસ્વરૂપનો-અતીન્દ્રિય આનંદના નાથનો-ભેટો થયો છે તે માર્ગમાંથી ચળતો નથી અને કદાચિત શ્રુત થવાનો પ્રસંગ આવી પડે તો પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરી દે છે. આ પ્રમાણે સ્થિતિકરણ નામનો ગુણ હોવાથી સમકિતીને માર્ગથી ચુત થવાના કારણે જે બંધ થાય તે થતો નથી. સ્થિતિકરણ છે ને? તેથી બંધ થતો નથી પરંતુ નિર્જરા જ છે. અહીં સ્થિતિકરણ ગુણ કહ્યો પણ એ પર્યાય છે. ગુણ તો ત્રિકાળ હોય છે. આ તો પર્યાયમાં સ્થિરતા કરે છે તેને સ્થિતિકરણ ગુણ કહે છે. * ગાથા ૨૩૪: ભાવાર્થ * જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ટ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે.' જોયું? મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે; મતલબ કે આ વ્રતાદિ પરિણામ તે મોક્ષમાર્ગ એમ નહિ. મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે અને તેમાં સ્થિત થવું તે સ્થિતિકરણ છે. સમકિતી સ્થિતિકરણગુણ સહિત છે. તેને માર્ગથી શ્રુત થવાના કારણે થતો બંધ નથી, પરંતુ ઉદયમાં આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.' [ પ્રવચન . ૩૦૫ (શેષ) * દિનાંક ૨૯-૧-૭૭] Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy